કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જે.ડી.એસના નેતા એચ.ડી.કુમારસ્વામીએ કહ્યું કે "મારા હિસાબે આ કોઇ નવી વાત નથી. આ વસ્તુ હું 10-15 વર્ષથી જોઇ રહ્યો છું."
-પેગાસસ સ્પાઇવેર પર કુમારસ્વામીએ કર્યો ખુલાસો
-કુમારસ્વામીએ કર્ણાટકની આ માહિતી સ્વીકારતા કર્યો ઇનકાર
-કોંગ્રેસ પ્રવક્તાએ ભાજપ પર લગાવ્યા આરોપ
એચ.ડી.કુમારસ્વામીએ આ માહિતીઓનો ઇનકાર કરતાં જણાવ્યું કે 2 વર્ષ પહેલા જ્યારે તેઓ કર્ણાટકના મુખ્યમંત્રી હતા ત્યારે પેગાસસ સ્પાઇવેરનો ઉપયોગ તેઓએ તેમના સચિવની જાસૂસી માટે કર્યો હતો. તેઓએ કહ્યું કે તેમને આ બધી બાબતોની ચિંતા નથી.
તેઓએ કહ્યું કે હું આ બધી બાબતોની ચિંતા નથી કરી રહ્યો કારણ કે વર્તમાનમાં આયકર વિભાગ સહિત અન્ય વિવિધ સરકારી એજન્સીઓએ મહત્વપૂર્ણ લોકોના ફોન ટૈપ કર્યા છે...આવી ઘટના 10-15 વર્ષથી નિયમિતરૂપે થઇ રહી છે.
"પેગાસસ સ્પાઇવેર માત્ર મોદીજીના PM બન્યા બાદ જ નથી થયું..."
કુમારસ્વામીએ જણાવ્યું કે "આ પેગાસસ સ્પાઇવેરની ઘટના માત્ર નરેન્દ્ર મોદીના PM બન્યા બાદ જ નથી થઇ રહ્યું, પહેલા પણ આવું થયું જ છે " તેમણે કહ્યું કે મારા હિસાબે આ કોઇ નવી વાત નથી. હું આ વાતની પરવાહ પણ નથી કરતો કે જ્યારે હું CM હતો ત્યારે મારા ખાનગી સચિવનો ફોન ટૈપ કરાયો હતો કારણકે મેં કંઇ ખોટુ કર્યુ નથી."
કોંગ્રસના પ્રવક્તાએ મોદી સરકાર પર કર્યા પ્રહાર
કોંગ્રસે સરકાર પર પેગાસસ સ્પાઇવેરનો ઉપયોગ કરી દેશમાં ચૂંટાયેલ સરકારને ફગાવી પાડવાનો આરોપ લગાવ્યો છે અને આ સમગ્ર ઘટનાની સર્વોચ્ચ અદાલતમાં સ્વતંત્ર તપાસની પરવાનગી માંગી છે. કોંગ્રસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આરોપ લગાડતા કહ્યું કે ભાજપે કર્ણાટકમાં કોંગ્રસ ઘઠબંધન સરકારને ફગાવી દેવા પેગાસસ સ્પાઇવેરનો દુરુપયોગ કરી લોકતંત્રની હત્યા કરી છે .કોંગ્રસે કહ્યું કે મોદી સરકારે સાબિત કરી બતાવ્યું કે સત્તાની દોડમાં તેઓ કોઇપણ હદ્ સુધી જઇ શકે છે અને લોકતંત્રને નબળું પાડી શકે છે.