પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ પરના આરોપ બાદ ભાજપે રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે.
પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ પરના રાહુલના આરોપ બાદ ભાજપનો પલટવાર
સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જવાબ આપ્યા
ફોનમાં કોઈ હથિયાર હોય તો કોઈ ઘરમાં કેમ બેસી રહે- સંબિત પાત્રા
ભાજપે રાહુલ ગાંધીના આરોપનો જવાબ આપવા માટે સંબિત પાત્રાને મેદાનમાં ઉતાર્યાં. સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપના જવાબ આપ્યાં. પાત્રાએ જણાવ્યું કે જો ફોનમાં કોઈ હથિયાર હોય તો કોઈ ઘરમાં કેમ બેસી રહે.
પાત્રાએ કહ્યું કે રાહુલ ગાંધી, આ તથાકથિત વિપક્ષ એક છે કે શું. આજે મમતા બેનરજી દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે ચા પી રહ્યાં છે. તમે યાદ કરો, 2018 માં કર્ણાટકમાં આ તમામ નેતાઓ મંચ પર હતા અને કહી રહ્યાં હતા કે અમે બધા મળીને ભાજપને હરાવી દઈશું. પરિણામ શું થયું. રાહુલ ગાંધી સારા છોકરા સાથે સાઈકલ પર બેઠા હતા, પરિણામ શું થયું. આ તમામ લોકોની એક જ ઈચ્છા હતા કે પોતાના પરિવારને બચાવી લેવામાં આવે.
પેગાસસ જાસૂસી કાંડના લીધે હંગામો યથાવત
પેગાસસ જાસૂસી કાંડને લઈ સંસદમાં હજુ પણ જોરદાર હંગામો ચાલુ જ છે. વિપક્ષ તરફથી આ મુદ્દે ચર્ચાની માંગ કરી છે. આજે સત્રના કામકાજ પહેલા વિપક્ષી નેતાઓએ એક બેઠક કરી. આ બેઠકમાં 14 રાજનૈતિક પક્ષ સામેલ થયા હતા. આ બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે પેગાસસ જાસૂસી કાંડને લઈ કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે. આ કાંડ મામલે સરકારે જવાબ આપવો જ પડશે.
14 વિપક્ષી દળો એકજુથ થયા
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે સદન ચાલે અને પેગાસેસ મુદ્દે સંપૂર્ણ તપાસ પણ થવી જોઈએ. પેગાસસની કાર્યવાહી ઘણા દેશોમાં થઈ રહી છે તો પછી ભાજપ શું લેવા આ તપાસ આપણા દેશમાં નથી કરાવી રહ્યા? પ્રધાનમંત્રી મોદીન અને અમિત શાહે આ મુદ્દાની તપાસ કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે પેગાસસ જાસૂસી કાંડને લઈ વિપક્ષ પહેલેથી જ કડક વલણ અપનાવી રહ્યું છે. જેના કારણે સંસદનું કામ પણ અટક્યું છે. આ મામલે સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો પણ વિપક્ષ PM મોદી અને ગૃહમંત્રી પાસેથી જ જવાબ મળે તે વાત પર અટકી ગયા છે.