દેશના મંત્રીઓ, વિપક્ષ અને પત્રકારની જાસૂસી થયાનો ધ વાયરસના રિપોર્ટમાં દાવો કરાયો છે. ફોન મારફતે જાસૂસી થઈ આવી હોવાનો ઉલ્લેખ કરાયો છે.
દેશના 300 જાણીતા વ્યક્તિઓની ફોન મારફતે જાસૂસીનો દાવો
જાણો શું કહેવાયું છે ધ વાયરના રિપોર્ટમાં
જાણો કેન્દ્ર સરકારે શું કરી સ્પષ્ટતા
ભારતમાં કોની કોની કરાઈ છે જાસૂસી
ધ વાયરના રિપોર્ટમાં કહેવાયું છે કે દેશના 300 લોકો પર જાસૂસી કરાઈ છે. જેમાં 300માંથી 40 પત્રકારોની , દેશમાં મંત્રી, વિપક્ષ નેતા, લીગલ કમ્યુનિટી, ઉદ્યોગપતિઓ અને સરકારી અધિકારીની જાસૂસી કરાઈ છે. આ સિવાય વૈજ્ઞાનિકો, સામાજિક કાર્યકરો સહિત 300 લોકોની જાસૂસી
ફોન મારફતે જાસૂસી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ પણ જોવા મળી રહ્યો છે.
કઇ રીતે થઇ જાસૂસી?
પેગાસસ સ્પાયવેરના ઉપયોગથી કરાઇ જાસૂસી
ફોનને હેક કરીને તેનો કેમેરા, માઇક અને કન્ટેન્ટની માહિતી મેળવી શકાય
આ સોફ્ટવેરની મદદથી ફોન પર કરાયેલી વાતચીત પણ મળી શકે
શું કહ્યું પેગાસસ કંપનીએ?
પેગાસસ સ્પાયવેર કંપનીએ કરી સ્પષ્ટતા
ક્યારેય કોઇ ખાનગી કંપનીને નથી વેચતા સોફ્ટવેર
પેગાસસ સ્પાયવેર બનાવતા NSO ગૃપે કરી સ્પષ્ટતા
પેગાસસ સ્પાયવેર માત્ર સરકારને જ આપવામાં આવે છે
સવાલ એ છે શું સરકારે ભારતીય પત્રકારોની જાસૂસી કરાવી?
જાસૂસીના દાવા પર ભારત સરકારે શું કહ્યું?
ધ વાયરના જાસૂસીના રિપોર્ટ બાદ કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે કે ભારત સરકારે કોઇની જાસૂસી કે ફોન ગેરકાયદેસર રીતે હેક કર્યો નથી. IT મિનિસ્ટ્રીએ જાહેર કરેલા પત્રમાં કહેવાયું છે કે રાષ્ટ્રીય સુરક્ષાથી જોડાયેલા મામલા સાથે કાયદાકીય પ્રક્રિયાનું પાલન થઇ રહ્યું છે અને સાથે જ કાયદાકીય પ્રક્રિયાના પાલન સાથે કોઇના ફોન ટેપ કરવાની પરવાનગી નથી આપી શકાતી.