તમે માં વિશે તો અનેકવાર સાભળ્યું હશે પણ આજે તમને અમે એક એવી માતા પણ છે જે એક કે બે સંતાનોની નહીં પણ 157 બાળકોની માતા છે અને આ પાલક માતા રસ્તે રખડતા કે તરછોડાયેલા કોઇ પણ બાળકને તેની સંસ્થામાં રાખીને ભણાવે છે. આ બાળકોને સાચવવા માટે તે મેરેથોન પેન્ટિંગ કરી નફો મળે તે બાળકોનું પાલન પોષણ કરે છે કોણ છે આવી પાલક માતા તે ખરેખર જાણવા જેવું છે.
ગ્લેમરની દુનિયા છોડી બની ગઈ બેસહારાની `માં'
તરછોડાયેલા 157 બાળકોનો કરે છે ઉછેર
અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે મનન ચતુર્વેદી સતત 24 કલાક પેઈન્ટિંગ બનાવીને રેકોર્ડ બનાવ્યો છે . અને આ પેઇન્ટ વેચીને તેમાંથી મળેલી રકમ તે તેની સંસ્થામાં રહેતા બાળકો પાછળ ખર્ચ કરવાના દ્રઢ સંકલ્પ સાથે કામગીરી મહિલા કરી રહી છે. મનન ચતુર્વેદી 157 બાળકોની પાલક માતા છે. રાજસ્થાનના જયપુરમાં બાળકોને રાખે છે.
રસ્તે રખડતા બાળકોના બન્યા છે પાલક માતા
રસ્તે રખડતા કે કોઈને પણ બાળકોને તેની સંસ્થામાં મૂકી ગયું હોય કે પછી તરછોડાયેલા કોઇપણ બાળકો હોય તેને તેની સંસ્થામાં રાખે છે ભણાવે છે અને તેનું પાલન પોષણ કરે છે. આ બાળકોને સાચવવા માટે તે મેરેથોન પેન્ટિંગ કરે છે. જી હા, આમ તો તે ફેશન ડીઝાઇનર અને સ્કોલર હતા પરંતુ એક વખત રસ્તા પર કચરામાં બાળકોને ખાતા જોયા અને તેને બાળકો માટે સેવા કરવાનો વિચાર આવ્યો અને અભ્યાસ છોડી તે આ સેવામાં લાગી ગયા છે. આ બાળકોને સાચવવા માટે તે દેશના અલગ અલગ વિસ્તારમાં જાય છે અને આ પ્રકારે પેન્ટિંગ બનાવે છે તે પેન્ટિંગ વેચી અને જે રૂપિયા મળે છે તેને આ સંસ્થામાં રહેતા બાળકો માટે ઉપયોગ કરે છે.
કર્ણાવતી ક્લબ ખાતે તે ૨૪ કલાક સતત પેન્ટિંગનો કર્યો રેકોર્ડ
આ સિવાય તે લોકો સુધી બાળકોને મદદ કરવા માટેનો મેસેજ પણ પહોંચે તેના માટે અલગ અલગ સંસ્થા કોલેજમાં જઈને પેન્ટિંગ તૈયાર કરે છે. લોકોને આવા બાળકોને મદદ કરવા માટે પ્રેરે છે. ત્યારે હવે કર્ણાવતી ક્લબ ખાતે તે ૨૪ કલાક સતત પેન્ટિંગ કરી રેકોર્ડ તો બનાવ્યો છે સાથે જ તે આ પેન્ટિંગ વેચી તેમાંથી જે રૂપિયા મળશે એ તેની સંસ્થામાં રહેતા બાળકો માટે ઉપયોગ કરશે.
157 બાળકોનું કરે છે ભરણપોષણ
આજની આ મોંઘવારીમાં બે થી વધુ બાળકો ને માતા અને પિતા બન્ને સાથે રાખીને પણ સાચવી નથી શકતા તેની સામે પાલક માતા મનન ચતુર્વેદી જે પિતા અને માતા બન્નેની ગરજ સારીને 157 બાળકોનું ભરણપોષણ કરે છે. જે સમાજ માટે સર્વ શ્રેષ્ઠ ઉદાહરણરૂપ બની છે.