અખરોટનું સેવન આપણા શરીર માટે ફાયદાકારક છે, પરંતુ તેને પલાળીને ખાવાથી તેના ફાયદા બેવડાઇ જાય છે. ચાલો જાણીએ પલાળેલી અખરોટ ખાવાથી તમને કેવા પ્રકારના ફાયદા મળે છે.
પલાળેલું અખરોટ ખાવાથી પણ થાય છે અનેક ફાયદા
ખતરનાક બીમારીઓ થશે ગાયબ
વજન ઉતારવામાં પણ ઉપયોગી
અખરોટ છે ફાયદાકારક
આપણે વાંચ્યું કે સાંભળ્યું જ હશે કે બદામ કે દ્રાક્ષ જેવાં ડ્રાયફ્રૂટને રાતે પાણીમાં પલાળીને ખાવાથી તેના ફાયદા બમણાં થઇ જાય છે, પરંતુ શું તમે જાણો છો કે પલાળેલી અખરોટ ખાવાથી પણ શરીરને અનેક ફાયદા થાય છે.
શરીરને અનેક રોગો સામે લડવામાં મદદ મળે છે. અખરોટનું સેવન આપણા શરીર માટે ફાયદાકારક છે, પરંતુ તેને પલાળીને ખાવાથી તેના ફાયદા બેવડાઇ જાય છે. ચાલો જાણીએ પલાળેલી અખરોટ ખાવાથી તમને કેવા પ્રકારના ફાયદા થઈ શકે છે.
ક્યારે ખાવી ફાયદાકારક છે
અખરોટ પણ ડ્રાય ફ્રૂટ્સની શ્રેણીમાં આવે છે, પરંતુ તેનાથી સૌથી વધુ ફાયદો કેવી રીતે થાય છે તે ભાગ્યે જ કોઈ જાણતું હશે. કારણ કે મોટાભાગના લોકો તેને તોડ્યા પછી સીધી મોઢામાં મૂકી દે છે. તમે અખરોટને સૂકવીને ખાઓ કે પલાળીને ખાઓ, જ્યારે તમે દરરોજ સવારે ખાલી પેટે તેનું સેવન કરશો ત્યારે જ તમારા શરીર પર તેની સૌથી વધુ અસર પડશે.
અખરોટ હૃદયનાં સ્વાસ્થ્ય માટે રામબાણ છે
અખરોટનું સેવન આપણાં હૃદય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે કારણ કે તે ઓમેગા ૩ ફેટી એસિડથી ભરપૂર છે, જે માત્ર ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. તે એચડીએલ કોલેસ્ટ્રોલને વધારવામાં પણ મદદ કરે છે. પલાળેલી અખરોટનું નિયમિત સેવન કરવાથી તમારા હૃદયની તંદુરસ્તી જળવાઇ રહે છે.
દાંત અને હાડકાં માટે ફાયદાકારક
દરરોજ સવારે બે પલાળેલી અખરોટનું સેવન તમારા શરીરની બે મુખ્ય વસ્તુઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પલાળેલા અખરોટમાં આવાં ઘણાં પોષક તત્ત્વ જોવા મળે છે, જે તમારાં હાડકાં અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અખરોટમાં રહેલું આલ્ફા-લિનોલેનિક એસિડ માત્ર તમારા હાડકાં જ નહીં પણ તમારા દાંતને પણ મજબૂત બનાવવામાં મદદ કરે છે.
વજન નિયંત્રણમાં રહે છે
જો તમે તમારા વધતા વજનથી પરેશાન છો અને તમામ પ્રયાસો છતાં પણ તમે તમારી ભૂખને કાબૂમાં નથી રાખી શકતા તો વજન ઘટાડવા માટે તમે આ પદ્ધતિ અપનાવી શકો છો. તમારે ફક્ત તમારા આહારમાં પલાળેલાં અખરોટને સામેલ કરવાનું છે. પલાળેલાં અખરોટમાં પ્રોટીનની સાથે-સાથે કેલરી પણ ઓછી હોય છે, જે તમારા પેટને ભરેલું રાખવાની સાથે-સાથે કેલરીની માત્રા પણ ઓછી રાખે છે.
બ્લડ શુગર નિયંત્રિત થાય છે
બ્લડ સુગરમાં વધઘટ ઘણીવાર ડાયાબિટિસની સમસ્યાનું કારણ બની શકે છે, આ સમસ્યાથી બચવા માટે પલાળેલી અખરોટનું સેવન કરો, જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અભ્યાસ દર્શાવે છે કે જે લોકો દરરોજ બેથી ત્રણ ચમચી અખરોટનું સેવન કરે છે તેઓ ટાઇપ-ટુ ડાયાબિટિસનું જોખમ ઘટાડે છે. અખરોટ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.