વિદેશમાં શીંગદાણાનો કરોડોનો વેપાર જેના પર નિર્ભર છે તે અમરેલી જિલ્લાનો શીંગદાણા ઉદ્યોગ પડી ભાંગવાની અણી પર આવી ગયો છે. વાર્ષિક 1500 કરોડનું ટર્ન ઓવર ધરાવતી અમરેલી જિલ્લાની 55 ઇન્ડસ્ટ્રીઝ એક જ દિવસ ચાલે તેટલાં શીંગદાણા હોવાથી ઇન્ડસ્ટ્રીઝ બંધ થવાનો ભય તોળાઈ રહ્યો છે. ખેતીની આવક ઉપજના દોઢ ગણા કરવાની વાત હજુ હવામાં છે પરંતુ હાલ તો નિકાસમાં રાહત ન મળતાં નિકાસના વેપારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
મંદીના માર વચ્ચે ઝઝૂમી રહેલા શીંગદાણા ઉદ્યોગ...
શીંગદાણા ઉદ્યોગ પર તોળાઈ રહ્યો છે ભય
શું છીનવાઈ જશે શ્રમિકોની રોજગારી?
માલની અછત પર ટે~સનું ભારણ?
અમરેલી જિલ્લામાં આવેલ શીંગદાણા ઉધોગ
અમરેલી જિલ્લાના 11 તાલુકા માં 55 જેટલા વિદેશમાં નિકાસ કરતા શીંગદાણા ઉધોગ આવેલા છે. પરંતુ આ ઉદ્યોગ પર હાલ મુશ્કેલી એવી આવી છે કે વિદેશમાં શીંગદાણા એક્સપોર્ટ કરતા ઉધોગો શીંગદાણાના અભાવે બંધ થવાની અણી પર આવીને ઉભા છે. રાજ્યમાં શીંગદાણા વિદેશોમાં ભારે વિદેશી હુંડિયામણ રળી આપે છે. પણ સરકાર દ્વારા વિદેશમાં જતા શીંગદાણાના ઉધોગને ટ્રોબેગ ટેક્સમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવતાં હવે નિકાસ દરમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે વિદેશમાં એક્સપોર્ટ કરતા અમરેલી જિલ્લાના 55 જેટલા શીંગદાણા ઉધોગો બંધ થવાની કતારમાં ઉભા છે.
અમરેલી જિલ્લામાં વિદેશમાં નિકાસ કરતા શીંગદાણાના 50 ઉપરાંત કારખાનાઓ ધમધમે છે. એક શીંગદાણાના કારખાનામાં મજૂરોથી લઈને ટ્રક ડ્રાઈવર સહિત 50થી 60 વ્યક્તિઓને રોજગારી મળી રહે છે. 50 કારખાનાઓ ગણિયે તો 5થી 6 હજાર મજૂરો પર રોજગારી છીનવાઈ જવાનો ભય તોળાઈ રહ્યો છે. કેમકે વિદેશમાં એક્સપોર્ટ કરવાના શીંગદાણા જ નથી રહ્યા. જેનું મોટું કારણ સરકાર દ્વારા ટ્રોબેગ કમિશન પ્રથામાં થયેલો ઘટાડો પણ હોવાનું જાણવા મળી રહ્યું છે. કેમ કે પહેલા સરકાર દ્વારા વિદેશમાં મગફળી નિકાસ કરનાર ઉદ્યોગકારને 1 ટકા ટ્રોબેગ ટેક્સ આપતી હતી. પરંતુ હવે તે ઘટાડીને 0.15 ટકા કરી નાખતા શીંગદાણા ઉધોગ ભાંગી ગયો છે. ગત વર્ષે 1500 કરોડનું ટર્ન ઓવર ધરાવતો શીંગદાણા ઉધોગ આ વર્ષે ફક્ત 500 કરોડનું જ ટર્ન ઓવર કરી શકે છે.
મગફળી નિકાસ કરનાર ઉદ્યોગકારને 1 ટકા અપાતો હતો ટ્રોબેગ ટેક્સ
આ ટેક્સ ઘટાડીને કરી દેવાયો છે 0.15 ટકા
શીંગદાણા ઉદ્યોગ એ સૌરાષ્ટ્રની આગવી ઓળખ હોવા ઉપરાંત અનેક શ્રમિકોને ઘર આંગણે રોજી આપી રહ્યો છે. પરંતુ સરકારી નીતિના કારણે હાલ આ ઉદ્યોગ જ્યારે પડી ભાંગવાની અણી પર છે ત્યારે સૌથી વધારે ભય શ્રમિકોની રોજી છીનવાઈ જવાનો ઉભો થયો છે. સરકાર આ દિશામાં વહેલી તકે વિચારે તે જરૂરી છે.