પૌરાણિક કહાનીઓની એક અલગ જ મજા છે. આ કહાનીઓના માધ્યમથી જ ઇતિહાસને ખૂબ જ સુંદરતાની સાથે વર્તમાન સાથે જોડવામાં આવ્યું છે. આજે એવી જ એક પૌરાણિક કથાનો ઉલ્લેખ અમે તમારી સામે કરવા જઇ રહ્યા છીએ.
આપણે દરેક લોકો જાણીએ છીએ કે રાધા વગર ભગવાન શ્રીકૃષ્ણને અધૂરા માનવામાં આવે છે. રાધા અને કૃષ્ણ બંને એકબીજાના પૂરક છે અને આજે પણ રાધા-કૃષ્ણનું નામ સાથે લેવામાં આવે છે.
આજે અમે એ મોતીના ઝાડની વાત કરવા જઇ રહ્યા છીએ જેને પોતે કૃષ્ણએ વાવ્યું હતું. હેરાન કરનારી વાત તો એ છે કે આ ઝાડ આજે પણ મોજૂદ છે.
લગભગ દરેક જગ્યાએ એવું કહેવા અને સાંભળવામાં આવે છે કે કૃષ્ણ રાધાને પ્રેમ ખૂબ કરતો હતો. પરંતુ કોઇ કારણોસર બંનેના લગ્ન શક્ય થઇ શક્યા નહીં. જો કે ક્યાંયને ક્યાં એવું કહેવામાં આવે છે કે બંનેના લગ્ન થયા હતા અને સ્વયં બ્રહ્માજી એ કરાવ્યા હતા.
ગર્ગ મુનિ દ્વારા રચાયેલી ગર્ગ સંહિતામાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ બંનેના લગ્ન થયા હતા.
ગર્ગ સંહિતા અનુસાર શ્રીકૃષ્ણ અને રાધાની સગાઇ વખતે રાધારાનીના પિતા વૃષભાનુએ કૃષ્ણજીને ભેટના રૂપમાં કિંમતી મોતી આપ્યા હતા. આ જોઇને વાસુદેવને એ વાતની ચિંતા રહેતી હતી કે આ કિંમતી મોતીઓને એ કેવી રીતે સંભાળશે.
પોતાના પિતાને ચિંતામાં જોઇને શ્રીકૃષ્ણએ એ મોતીઓને કુંડની પાસે જમીનમાં વાવી દીધા. જ્યારે નંદ બાબાને આ વાત માટે જાણ થઇ તો એમના પુત્રથી તેઓ નારાજ થઇ ગયા અને મોડું ના થાય એ પહેલા કેટલાક લોતોને મોતીને ખોદીને લાવવાનો આદેશ આપ્યો. જો કે લોકોએ ત્યાં જઇને જોયું તો એ જગ્યા પર એક ઝાડ ઊગી નિકળ્યું છે જેમાં સુંદર મોતી લટકી રહ્યા છે.
એ દિવસથી આજ સુધી એ કુંડને મોતી કુંડના નામથી ઓળખવામાં આવે છે. એના માટે લાંબી લાંબી લાઇનોમાં ઊભા રહીને લોકો કલાકો સુધી રાહ જોવે છે.