પહેલા મગફળીકાંડ અને હવે તુવેરકાંડ..રાજ્યમાં કેટલાક અધિકારીઓની બેદરકારીને કારણે એક કૌભાંડની શાહી તો સૂકાય નહીં ત્યાં તો બીજું કૌભાંડ ઉજાગર થઈ જાય છે..એક તરફ સરકાર ટેકાના ભાવે ખેડૂતોનો પાક ખરીદાતો હોવાની મસમોટી વાતો કરી રહી છે..ત્યારે બીજી તરફ કેટલાક ભ્રષ્ટ વેપારીઓ અને અધિકારીઓની મિલિભગતથી થયેલા કાંડને કારણે ખેડૂતોની તુવેર રિજેક્ટ કરવામાં આવે છે.. આવું જ એક કૌભાંડ જુનાગઢના કેશોદમાં સામે આવ્યું છે..જ્યાં ખેડૂતોના નામે સ્થાનિક અધિકારીઓએ હલકી ગુણવત્તાની તુવેર સારી તુવેર સાથે ભેળવીને વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે...એટલું જ નહીં પરંતુ જ્યારે આ અંગે કોઈ જવાબ માગે ત્યારે અધિકારીઓ જવાબ આપવાની પણ તશ્દી નથી લેતા... ત્યારે અહીં સવાલ એ છે કે શું સરકાર આવા ભ્રષ્ટ અધિકારીઓ અને વેપારીઓના ભરોસે ખેડૂતોની સ્થિતિ અંગે મસમોટા દાવા કરે છે? શું કૌભાંડ