પ્રોફેસર કે. વિજય રાઘવને કહ્યું કે હાલમાં વાયરસનો કોઈ એવો વેરિઅન્ટ નથી જેની પર વેક્સીન અસરકારક ન હોય, તેઓએ કોરોનાની ભયાનક સ્થિતિને લઈને કહ્યું કે આ એક નહીં પણ અનેક કારણોને લીધે થયું છે.
PM મોદીના પ્રધાન વૈજ્ઞાનિક સલાહકારે કહી ખાસ વાત
કોરોનાની બીજી લહેરના પીકને લઈને મોટું નિવેદન
આ મહિનાના અંત સુધી આવી શકે છે બીજી લહેરનો પીક
PM મોદીના પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર કે. વિજય રાઘવને કહ્યું કે કોરોનાની બીજી લહેરનો પીક આ મહિનાના અંત સુધી આવી શકે છે. હાલમાં એવો કોઈ વેરિઅન્ટ નથી જેના પર વેક્સીન પ્રભાવી ન હોય. તેઓએ કોરોના સંક્રમણની ભયાનક સ્થિતિને લઈને કહ્યું કે આ એક નહીં પણ અનેક કારણોને લીધે થયું છે.
ગુરુવારે દેશમાં કોરોનાના 3,14, 835 નવા કેસ
24 કલાકમાં આટલા નવા કેસ એ ઘણું ચિંતાજનક છે. આ માટે પ્રોફેસર કે. વિજય રાઘવને કહ્યું કે વાસ્તવિકતામાં મોટી સંખ્યામાં કેસ આવી રહ્યા છે જે ગંભીર ચિંતાનો વિષય છે પણ જો પીક અને ફોલ પર ધ્યાન અપાય તો તેમાં હજુ લગભગ 12 અઠવાડિયાનો સમય લાગી શકે છે. રાજ્યો અને જિલ્લાની રીતે કહીએ તો સંપૂર્ણ રીતે ઘટાડો થવામાં સમય લાગી શકે છે. આ મહિનાના અંત સુધી કે આવતા મહિનાની શરૂઆતમાં ઘટાડો જોવા મળી શકે છે. આ સમયે નવી તિંચા હેલ્થકેર પર ધ્યાન આપવાની છે. સ્ટ્રેનનું વિશ્લેષણ થાય અને મોટી સંખ્યામાં વેક્સીનેશન કરાય. દરેક વાત પર ફોકસ કરવાની જરૂર છે.
જાણો ઓક્સીજનની અછતને લઈને શું કહ્યું
ઓક્સીજનની અછતને લઈને વિજય રાઘવને કહ્યું કે પહેલી લહેરમાં અમે શીખ્યું કે મેડિકલ ઓક્સીજન પ્રભાવશાળી છે. પહેલા વિચારતા હતા કે દરેકને માટે વેન્ટિલેટરની જરૂર પડશે. પણ પછી રિપોર્ટમાં સામે આવ્યું કે શ્વાસની તકલીફની સાથે સામાન્ય લક્ષણના દર્દીઓને માટે પણ ઓક્સીજન પૂરતો રહેશે અને ગંભીર રોગી માટે વેન્ટિલેટરની જરૂર રહેશે આ સમયે ઓક્સીજનના પ્રોડક્શનની ક્ષમતા વધારાઈ છે પણ હવે જે રીતે કેસ સામે આવી રહ્યા છે તે રીતે આ ચેલેન્જ બન્યું છે.
બીજી લહેરની તૈયારીમાં શું ખામી રહી
અમેરિકા અને યૂકે જેવા દેશમાં કોરોનાની બીજી લહેરની અસર બાદ અહીં તૈયારી સારી ન હોવાને લઈને તેઓએ કહ્યું કે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે વધારો થયો છે તે રૂટીન કામમાં લગાવાયો છે. હવે તેને ફરી પરત લવાઈ રહ્યો છે. હવે કેસમાં આશ્ચર્યજનક વધારો થયો છે અને ચેલેન્જનો સામનો કરવાનો છે. જેકમે નવી હોસ્પિટલો તૈયાર થઈ રહી છે અને સાથે અનેક અનુભવ મદદ કરી રહ્યા છે. અનેક હોસ્પિટલો બની રહ્યા છે તે ભરાઈ રહ્યા છે માટે હજુ નવી હોસ્પિટલો બનાવવાની રહેશે.
વેક્સીનની કિંમતમાં ફેરફારને લઈને શું કહ્યું
1 મેથી કોરોના વેક્સીનેશનના નિયમોમાં ફેરફારની સાથે વેક્સીનની કિંમતમાં ફેરફારને લઈને વિવાદ છે. તેમનું કહેવું છે કે ભારતમાં બનાવાયેલી વેક્સીનના 50 ટકા રાજ્યોને માટે રખાયા છે. રાજ્ય કિંમતને લઈને ઉત્પાદકો સાથે વાત કરી રહ્યા છે. રાજ્ય સરકાર ઈચ્છો તો વેક્સીન કિંમતોમાં છૂટ આપી શકે છે. મહત્વની વાત એ છે કે વેકસીનેશનના કાર્યક્રમ માટે 50 ટકા વેક્સીન કેન્દ્રને મળશે જે તે રાજ્યોને ફ્રીમાં આપશે. બહારથી થતી વેક્સીનની આયાત પર પણ છૂટ મળી રહી છે જેને વિદેશોમાં ઈમરજન્સી યૂઝની પરમિશન મળી છે. એટલે કે રાજ્ય ઇચ્છે તો ત્યાંથી પણ વેક્સીન લઈ શકે છે. વેક્સીનની વધારે કિંમત તરફ ન જોવું કેમકે રાજ્યની પાસે તેને ઓછી કરવાના અનેક ઉપયા છે. જેનાથી લાભાર્થીને વધારે લાભ મળે.
વાયરસને સિંગલ, ડબલ કે ટ્રિપલ મ્યુટેન્ટ કહેવું યોગ્ય નથીઃ વિજય રાઘવન
કોરોના વાયરસના ત્રીજી વાર રૂપ બદલવાને લઈને તેઓએ કહ્યું કે આપણે વાયરસથી એક પગલું પાછળ જ રહીશું. વાયરસને સિંગલ, ડબલ કે ટ્રિપલ મ્યુટેન્ટ કહેવું યોગ્ય નથી કેમકે વાયરસ એક વ્યક્તિથી અન્ય વ્યક્તિના શરીરમાં આવે છે. એક શહેરથી અન્ય શહેર પહોંચે છે. એક દેશથી અન્ય દેશમાં આવે છે. આ સમયે તે અનેક વાર રૂપ બદલે છે. તેઓએ કહ્યું કે વાયરસના રૂપ બદલવાને લઈને તપાસ જરૂરી છે. હાલમાં વાયરસનું એવું કોઈ રૂપ નથી જે ચિંતા જન્માવે અને જેની પર વેક્સીનની અસર ન થતી હોય. વેક્સીનેશન વધારાશે. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને વાયરસના આ રૂપને ખતરનાક થવાથી બચાવી શકાશે.
કોરોના સંક્રમણના વ્યાપક થવાને લઈને શું કહ્યું
વિજય રાઘવને કહ્યું કે કોરોના સંક્રમણ વ્યાપક રીતે ફેલાવવા પર 3 ચીજ અસર કરે છે. પહેલી જેને પહેલા કોરોના થયો છે તેમાંથી કેટલાક લોકોને ફરી સંક્રમણ થઈ રહ્યું છે. બીજું વધારે સંક્રામક હોવાના કારણે તે ઝડપથી ફેલાઈ રહ્યું છે અને સાથે વેક્સીનેશન પણ અનેક લોકોને બાકી છે. ત્રીજું આપણા વ્યવહારના કારણે આ વાયરસનું સંક્રમણ વધ્યું છે. આ 3 કારણોના લીધે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ સિવાય અન્ય કોઈ કારણ જવાબદાર નથી.