અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને આજે 4 પુનર્વિચારની અરજી કરવામાં આવશે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની તરફથી મિસબાહુદ્દીન, મૌલાના હસબુલ્લા, હાજી મહેબૂબ અને રિઝવાન અહમદ દ્વારા પુનર્વિચાર અરજી દાખલ કરાશે. ઉલ્લેખનીય છે કે ભારતીય પીસ પાર્ટીની તરફથી આ પુનર્વિચારની અરજી દાખલ કરવામાં આવી છે.
અયોધ્યા કેસમાં પુનર્વિચાર અરજી
સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કરાશે અરજી
ભારતીય પીસ પાર્ટીએ ઉઠાવ્યા 5 પ્રશ્નો
સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ કરી પુનર્વિચારની અરજી
અયોધ્યા કેસમાં પુનર્વિચારની અરજી દાખલ કરવામાં આવી છે. આ દરેક અરજીના વકીલ રાજીવ ધવન હશે. ભારતીય પીસ પાર્ટીની તરફથી આ પુનર્વિચારની અરજી દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં નિર્ણય આપ્યો હતો. વિવાદિત જમીન રામલલાને આપાવમાં આવે અને મુસ્લિમોને અન્ય જગ્યાએ 5 એકરની જમીન આપવામાં આવે. પરંતુ આ નિર્ણયની વિરુદ્ધમાં સુન્ની વક્ફ બોર્ડે પુનર્વિચારની અરજી દાખલ કરવાનો ઇનકાર કર્યો છે. જ્યારે જમીયત ઉલેમા હિન્દએ આ કેસ સાથે જોડાયેલા એક પક્ષની સાથે મળીને અરજી દાખલ કરી છે.
ભારતીય પીસ પાર્ટીના છે આ 5 પ્રશ્નો
સુપ્રીમ કોર્ટનો નિર્ણય સંપૂર્ણ રીતે ASI રિપોર્ટ પર આધારિત છે, નહીં કે તથ્યો પર.
1949 સુધી હક હંમેશા મુસ્લિમોની પાસે હતો અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 110નું પાલન કરવામાં આવ્યું નથી. હિંદુ પક્ષકારો દ્રારા ખોટું બોલવામાં આવ્યું હતુ.
કેન્દ્રીય ગુંબજની નીચે મસ્જિદમાં 1949 સુધી નમાજ પઢવામાં આવતી હતી અને 1949થી પહેલાં ત્યાં કોઈ મૂર્તિ ન હતી. 1949 પહેલાં કોઈ પણ હિંદુ પ્રાર્થના કરતા ન હતા.
ASI દ્વારા કોઈ પૂરાવા આપવામાં આવ્યા નથી કે ત્યાં મંદિર હતું જે રામને સમર્પિત હતું.
1885માં જ્યાં રામ ચબૂતરા રામ મંદિર હતું જે બાબરી મસ્જિદનું બાહ્ય આંગણું છે. આમાં મુસ્લિમ પક્ષનો આંતરિક કોર્ટનો એકમાત્ર અધિકાર હતો પરંતુ તાજેતરના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી નથી.