જમ્મુ કાશ્મીરમાં DDCની ચૂંટણી થવાની છે. આ વચ્ચે રાજ્યની તમામ પાર્ટીઓ વચ્ચે થયેલા ગુપકાર કરારને લઇને અબ્દુલ્લા પરિવાર અને રાજ્યની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સતત ભાજપના નેતાઓને નિશાને લઇ રહી છે.
અમિત શાહે ગુપકાર કરારમાં સામેલ પાર્ટીઓને ગુપકાર ગેંગ કહી હતી
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રીએ હાલમાં જ ગુપકાર કરારમાં સામેલ પાર્ટીઓને ગુપકાર ગેંગ કહીને સંબોધિત કરી હતી અને તેમણે રાષ્ટ્ર વિરોધી ગણાવી હતી. તઆ તમામ મુદ્દાઓને લઇને PDP અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરી હતી.
આ દરમિયાન મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, ભાજપના લોકોમાં અસંતોષ અને વાસ્તવિક મુદ્દાઓને ફગાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ વાસ્તવિક મુદ્દાઓથી હટાવવાની રણનીતિ છે. દેશ માટે તેમના શું દૂરદર્શિતા છે. જવાહરલાલ નેહરૂની પાસે વિઝન હતું, તેમના પાસે કોઇ વિઝન નથી. દુર્ભાગ્યથી વધુ પડતા મીડિયા ભાજપના પ્રોપગેન્ડાની વાત કરે છે. જમ્મુ કાશ્મીરના બંધારણને લૂંટવામાં આવ્યું છે.
ગુપકાર કરારને લઇને મુફ્તીએ વધુમાં કહ્યું કે, અમે તમામ મુખ્ય ધારાના દળ છીએ અને અમે જમ્મુ કાશ્મીરના બંધારણની રક્ષા કરવાના શપથ લઇ રાખ્યા છે. મારા પિતાએ તે સમયે તિરંગો લહેરાવ્યો હતો જ્યારે આ એક ટૈબૂ થયા કરતું હતું. અમે તેમનો બચાવ કરીશું.