નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ અનુચ્છેત 370ને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો અનુચ્છેત 370ને ખતમ કરવામાં આવશે તો જમ્મૂ કાશ્મીરથી ભારતનો સંબંધ પૂર્ણ થઇ જશે. જણાવી દઇએ કે અનુચ્છેદ 370 જમ્મૂ કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો અપાવે છે.
પીડીપી પ્રમુખે વધુમાં કહ્યું કે જો અનુચ્છેદ 370ને ખતમ કરવામાં આવશે તો મુસ્લિમ વર્ચસ્વ ધરાવતા રાજ્ય ભારતનો ભાગ બનવાનું પસંદ નહીં કરે. તેમણે કહ્યું કે જો તમે તે બ્રિજ(370)ને તોડશો... તો તમારે ભારત-જમ્મૂ અને કાશ્મીર વચ્ચે સંબંધો ફરીથી જોડવા પડશે, જેમાં કેટલીક શરતો હશે. શું મુસ્લિમ વસ્તી ધરાવતું રાજ્ય તમારી સાથે રહેવા માંગશે? જો તમે અનુચ્છેદ 370ને હટાવી દેશે તો જમ્મૂ કાશ્મીર સાથે તમારો સંબંધ પૂરો થઇ જશે.
#WATCH Mehbooba Mufti: If you break that bridge (Art 370)...then you will have to renegotiate relationship b/w India-Jammu&Kashmir, there will be new conditions...A Muslim majority state, would it even want to stay with you?...If you scrap 370, your relation with J&K will be over pic.twitter.com/HlAMZh3KcC
જણાવી દઇએ કે મહેબૂબા મુફ્તી વારંવાર સંવિધાનના અનુચ્છેદ 35Aની સાથે અનુચ્છેદ 370ના મુદ્દા પર નિવેદન આપતા રહે છે. હાલમાં જ પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અનુચ્છેદ 35A પર હુમલો કરવામાં આવશે તો તેમને ખબર નથી કે કાશ્મીરના લોકો તિરંગાના બદલે ક્યો ઝંડો ઉઠાવી લેશે.