રાજ્યમાં ન્યુમોકોકલ ન્યુમોનિયા સામે બાળકોના રક્ષણ માટે યુનિવર્સલ ઇમ્યુનાઝેશન પ્રોગ્રામ (યુઆઇપી) માં ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સીન (પી.સી.વી.) આજથી શરૂ થનાર છે.
ગાંધીનગર જિલ્લામાં ન્યુમોકોકલ વેક્સિનના ડોઝ અપાશે
જિલ્લાના 72 હજાર બાળકોને આજથી વેક્સિન અપાશે
મમતા દિવસ નિમિત્તે બાળકોને રસી આપવામાં આવશે
ગુજરાત સરકાર કોરોના મહામારી બાદ બાળકોના સ્વાસ્થ્યને લઈને સતત ચિંતિત છે, ત્યારે આજથી પાટનગર ગાંધીનગરમાં આજથી ન્યુમોનિયા સામે રક્ષણ આપતી ન્યુમોકોકલ રસી બાળકોને આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ન્યુમોકોકલ રોગએ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીએ નામના જીવાણુ દ્વારા થાય છે, જે મોટેભાગે પાંચ વર્ષથી નીચેના બાળકોમાં બેક્ટેરિયા ન્યુમોનિયાનું મુખ્ય કારણ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીયા છે.
ગાંધીનગરના 72 હજાર બાળકોને અપાશે રસી
ગાંધીનગર જિલ્લામાં આજે મમતા દિવસની ઉજવણીના ભાગરૂપે 72 હજાર બાળકોને આજથી વેક્સિનના ડોઝ આપવાની શરૂઆત થશે. આ વેક્સિન જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં આપવામાં આવશે.
શું છે ન્યુમોકોકસ બેક્ટેરિયા?
ન્યુમોકોકસ બેક્ટેરિયા શરીરનાં ઘણાં અંગોને પ્રભાવિત કરવાની સક્ષમ ધરાવે છે. ન્યુમોનિયા સિવાય આ બેક્ટેરિયા મેનિન્જાઇટિસ, બ્લડ ઇન્ફેક્શન કે બેક્ટરેમિયા, સાઇનસાઇટિસ, કાનનું ઇન્ફેક્શન વગેરે જેવી ગંભીર બિમારીઓને નોતરી શકે છે. આ બિમારીની અવગણવાથી બાળકના જીવન સામેપણ ઘણી વખત જોખમ ઊભું થઈ જાય છે. માટે, આ બેક્ટેરિયા સામે બાળકને રક્ષણ પૂરું પાડવા માટે તેને આ રસી આપવી જરૂરી છે.
શું છે ફાયદા?
5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં મૃત્યુદર ઘટશે
ન્યુમોકોકલ રોગને અટકાવશે
2010માં 1,05,000 બાળકોના થઈ ચૂક્યા છે મોત
ભારતમાં ન્યુમોકોકલ ન્યુમોનિયાના કારણે 2010માં આશરે 1,05,000 અને 2015માં લગભગ 53,000 પાંચ વર્ષથી નાના બાળકો મૃત્યુ પામ્યા હતાં.