બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / pcv vaccination in gandhinagar today
Last Updated: 09:11 AM, 20 October 2021
ADVERTISEMENT
ગુજરાત સરકાર કોરોના મહામારી બાદ બાળકોના સ્વાસ્થ્યને લઈને સતત ચિંતિત છે, ત્યારે આજથી પાટનગર ગાંધીનગરમાં આજથી ન્યુમોનિયા સામે રક્ષણ આપતી ન્યુમોકોકલ રસી બાળકોને આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ન્યુમોકોકલ રોગએ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીએ નામના જીવાણુ દ્વારા થાય છે, જે મોટેભાગે પાંચ વર્ષથી નીચેના બાળકોમાં બેક્ટેરિયા ન્યુમોનિયાનું મુખ્ય કારણ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીયા છે.
ADVERTISEMENT
ગાંધીનગરના 72 હજાર બાળકોને અપાશે રસી
ગાંધીનગર જિલ્લામાં આજે મમતા દિવસની ઉજવણીના ભાગરૂપે 72 હજાર બાળકોને આજથી વેક્સિનના ડોઝ આપવાની શરૂઆત થશે. આ વેક્સિન જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં આપવામાં આવશે.
શું છે ન્યુમોકોકસ બેક્ટેરિયા?
ન્યુમોકોકસ બેક્ટેરિયા શરીરનાં ઘણાં અંગોને પ્રભાવિત કરવાની સક્ષમ ધરાવે છે. ન્યુમોનિયા સિવાય આ બેક્ટેરિયા મેનિન્જાઇટિસ, બ્લડ ઇન્ફેક્શન કે બેક્ટરેમિયા, સાઇનસાઇટિસ, કાનનું ઇન્ફેક્શન વગેરે જેવી ગંભીર બિમારીઓને નોતરી શકે છે. આ બિમારીની અવગણવાથી બાળકના જીવન સામેપણ ઘણી વખત જોખમ ઊભું થઈ જાય છે. માટે, આ બેક્ટેરિયા સામે બાળકને રક્ષણ પૂરું પાડવા માટે તેને આ રસી આપવી જરૂરી છે.
શું છે ફાયદા?
2010માં 1,05,000 બાળકોના થઈ ચૂક્યા છે મોત
ભારતમાં ન્યુમોકોકલ ન્યુમોનિયાના કારણે 2010માં આશરે 1,05,000 અને 2015માં લગભગ 53,000 પાંચ વર્ષથી નાના બાળકો મૃત્યુ પામ્યા હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.