દેશભરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આજે સવારે સંક્રમણના બે નવા કેસ સામે આવ્યાં છે. સંક્રમિત દર્દીઓની સંખ્યા 170 પાર થઇ ગઇ છે. વધતી સંખ્યાથી સરકારની સાથે-સાથે વિપક્ષ પણ ચિંતિત છે. કોંગ્રેસે સરકારને પૂછ્યું કે તેઓ લૉકડાઉન અંગે કેમ વિચારતી નથી.
ચિદમ્બરમે WHO ના નિવેદનને ટાંક્યું
ચિદમ્બરમે કહ્યું રાજ્યોએ પણ લૉકડાઉન કરવું જોઇએ
આ અસ્થાયી લોકડાઉનની ઘોષણા કરવાનો સમય
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે આજરોજ ટવિટ કરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ચિદમ્બરમે ટ્વિટર માધ્યમથી લખ્યું કે WHO ના મહાનિદેશકના ગઇકાલના નિવેદન બાદ બધા વિસ્તાર અને શહેરમાં 2-4 અઠવાડિયામાં તાત્કાલિક લૉકડાઉનનો આદેશ આપવામાં કોઇ કચવાટ ન હોવો જોઇએ. કેન્દ્ર સરકારના નિર્ણયથી આગળ પગલું ભરતાં કેટલાંક રાજ્યોએ પોતાના શહેર અને વિસ્તારમાં લૉકડાઉન કરવું જોઇએ.
કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે ટ્વિટર પર લખ્યું કે જો કે ICMR ના રેંડમ સેમ્પલ પરીક્ષણથી જાણ થઇ છે કે અત્યાર સુધી કોઇ સામૂહિક ટ્રાંસમિશન (સ્ટેજ-3) નથી, એટલા માટે આ કામચલાઉ લૉકડાઉનની જાહેરાત કરવા તેમજ સ્ટેજ 2માં બિમારીને રોકવાનો સમય છે.
After WHO Director General’s statement yesterday, there should be no hesitation in ordering an immediate lockdown of all our towns and cities for 2-4 weeks.
ભારતમાં કોરોના વધતા કહેર વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. આ દરમિયાન પ્રધાનમંત્રી ઝડપથી બદલાયેલા ઘટનાક્રમ અને તેના પર કાર્યવાહી માટે સરકાર તરફથી ઉઠાવવામાં આવી રહેલા પગલા અંગેની જાણકારી આપી શકે છે.