પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં પૂર્વ પ્રમુખ અશરફે 2012ની ભારત પાકિસ્તાન સીરીઝ દરમિયાન પોતાની શંકાને કારણે ખેલાડીઓ સાથે તેમની પત્નીઓને પણ જાસૂસી માટે મોકલી હતી.જાણો વિગતવાર
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં પ્રમુખ અશરફને પાકિસ્તાની પ્લેયર્સનાં ભારત રહેવા પર હતી શંકા
ખેલાડીઓની પત્નીઓને જાસૂસી કરવા સાથે મોકલવામાં આવી હતી
2012 દરમિયાનની છે આ ઘટના
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં પૂર્વ પ્રમુખ અશરફે મોટી વાત કહી છે. તેઓ કહે છે કે 2012ની સીરીઝ દરમિયાન તેમને પાકિસ્તાની ખેલાડીઓની ભારતમાં રહેવા પર શંકા હતી. આ જ કારણે તેમણે ખેલાડીઓની પત્નીને પણ ત્યાં મોકલવાની વ્યવસ્થા કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ છેલ્લી દ્વિપક્ષીય સીરીઝ હતી. તેઓ આગળ કહે છે કે આ નિર્ણય કોઈપણ સંભવિત દુર્ઘટનાને ટાળવા માટે લેવામાં આવ્યો હતો.
તસવીરો વાયરલ થવાનો ડર
આ પહેલા પણ પાકિસ્તાની ખેલાડીઓનાં ભારતની મુલાકાત દરમિયાનનાં શોએબ અખ્તર સહીતનાં અન્ય ખેલાડીઓનાં ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થતા આવ્યા છે. આવી સ્થિતિમાં અશરફને ડર હતો કે જો ભારતીય મીડિયાના હાથમાં કંઈક આવી ગયું, તો તેઓ પીસીબી અને પાકિસ્તાનની ઈમેજને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે પ્લેયર્સની ક્રિયાઓ પર નજર રાખવા માટે તેમની પત્નીઓ તેમની સાથે જ રહેશે.
પત્નીઓ પણ ગઈ સાથે
અશરફે આગળ જણાવ્યું કે જ્યારે પાકિસ્તાનની ટીમ ભારત આવતી ત્યારે અમારા ખેલાડીઓની ઈમેજ બગાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો, જેથી આખા પાકિસ્તાનનું નામ ખરાબ થઇ શકે એમ હતું. આવામાં પત્નીઓને પણ જાસૂસ તરીકે મોકલવામાં આવી હતી.
અશરફે એવો પણ આરોપ લગાવ્યો કે પાકિસ્તાનની ટીમ 2012-13માં 3 ODI અને બે T20 મેચ રમવા માટે ભારત આવી હતી. પાકિસ્તાનની આતંકવાદી ગતિવિધિઓને કારણે તે પ્રવાસ બાદ બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ ફરી ક્યારેય યોજવામાં આવ્યું ન હતું.
ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
તે સમયે T20 સીરીઝ ડ્રોમાં પૂર્ણ થઇ હતી અને ODI સીરીઝમાં પાકિસ્તાન વિજેતા રહ્યું હતું. અશરફે એ પણ જણાવ્યું હતું કે BCCIએ પાકિસ્તાનમાં પણ સીરીઝનું વચન આપ્યું હતું, જેમાં ભારતનાં પ્લ્તાર્સે પાકિસ્તાનનો પવાસ કરવાનો હતો અને પછી તે રદ્દ થયો હતો.
તેઓ આગળ કહે છે કે આપણે હંમેશા ક્રિકેટને લઈને ભારત સરકાર સાથે સંબંધો પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. અત્યારે અમને સૌથી મોટો ફાયદો એ છે કે જનરલ બાજવા હાલમાં આ પદ પર છે અને તેઓ પોતે પાકિસ્તાન ક્રિકેટને સમૃદ્ધ જોવા માંગે છે. અશરફના કહેવા પ્રમાણે, BCCIના તત્કાલીન પ્રમુખ એન. શ્રીનિવાસને તેમને ભારત બોલાવ્યા હતા અને સંપૂર્ણ સુરક્ષા સાથે સિરીઝ યોજવા માટે સંમત થયા હતા.