PCBના પ્રમુખ રમીઝ રાજાની ધમકી; કહ્યું કે, જો ભારત પાકિસ્તાન આવવા નથી ઈચ્છતું તો તે ન આવે પરંતુ જો એશિયા કપને અન્ય જગ્યાએ ખેસડવામાં આવશે તો તે આ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેશે
પાકિસ્તાન બોર્ડ (PCB)ના પ્રમુખ રમીઝ રાજાની ધમકી
પાકિસ્તાન ભારતમાં યોજાનાર વન ડે વર્લ્ડ કપમાં ભાગ નહીં લે
ભારતીય ટીમ 14 વર્ષથી પાકિસ્તાન ગઈ નથી
એશિયા કપ 2023 ને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)નો ફરી ખળભળાટ શરૂ થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પહેલથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તે એશિયા કપ માટે પાકિસ્તાનના પ્રવાસ નહીં જાય. આ પછી પીસીબીએ આવતા વર્ષે ભારતમાં યોજાનાર વન ડે વર્લ્ડ કપમાંથી પણ ખસી જવાની ધમકી આપી હતી. ભારતીય ટીમના પાકિસ્તાન નહીં જવાની વાત વચ્ચે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એશિયા કપ 2023ની સિઝનની યજમાની ખસેડવામાં આવી શકે છે. ચોખ્ખી ભાષામાં કઈએ તો આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનને બદલે કોઈ અન્ય દેશમાં યોજવામાં આવી શકે છે. આ બધાની વચ્ચે હવે ફરી એકવાર પાકિસ્તાન બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ આ અંગે ભારતને ધમકી આપી છે.
પાકિસ્તાન બોર્ડના પ્રમુખ રમીઝ રાજાની ધમકી
રમીઝે કહ્યું છે કે, જો ભારત પાકિસ્તાન આવવા નથી ઈચ્છતું તો તે ન આવે પરંતુ જો એશિયા કપને અન્ય જગ્યાએ ખેસડવામાં આવશે તો તે આ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેશે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે રમીઝ રાજા પોતાના દેશમાં મલ્ટી-ટીમ ટૂર્નામેન્ટ યોજવા અને પાકિસ્તાન બોર્ડની આર્થિક સ્થિતિ સુધારવા માટે ભારત સામે હાર સ્વીકારવા તૈયાર નથી. રમીઝ રાજાએ આ વાત ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી રાવલપિંડી ટેસ્ટ દરમિયાન જણાવી હતી. ESPN ક્રિકઈન્ફોએ રમીઝને મારફતે લખ્યું કે, 'એવું નથી કે અમારી પાસે યજમાનીના અધિકારો નથી અને અમે તેને યજમાન કરવાની અપીલ કરી રહ્યા છીએ અમે તમામ યોગ્ય રીતે હોસ્ટિંગના અધિકારો જીત્યા છે. જો ભારત પાકિસ્તાન ન આવે તો તેઓ ન આવે અને જો એશિયા કપ પાકિસ્તાન પાસેથી છીનવાઈ જાય તો અમે તેમાંથી બહાર થવા તૈયારી છીએ.
પાકિસ્તાન આ વલણ જાળવી રાખશે
રમીઝ રાજાએ શુક્રવારે પાકિસ્તાન મીડિયાને કહ્યું, 'અમારી સ્થિતિ એકદમ સ્પષ્ટ છે કે જો તેઓ (ભારતીય ટીમ) આવશે તો અમે વર્લ્ડ કપ રમવા જઈશું. જો તેઓ ન આવે તો તેમને ઈચ્છા અને તેમને પણ પાકિસ્તાન વગર રમવા દો. તેણે કહ્યું, 'પાકિસ્તાન આવતા વર્ષે ભારતમાં યોજાનાર વન ડે વર્લ્ડ કપમાં ભાગ નહીં લે અને અમે આ બાબતે અમારું મજબૂત વલણ જાળવી રાખીશું. અમારી ટીમે પ્રદર્શન કર્યું છે અને વિશ્વની સૌથી મોટી બિઝનેસ ટીમને હરાવી છે તેમજ અમે T20 વર્લ્ડ કપની ફાઈનલ રમી ચૂક્યા છીએ.
ભારતીય ટીમ 14 વર્ષથી પાકિસ્તાન ગઈ નથી
રાજકીય તણાવને કારણે 2012થી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી થઈ નથી. જ્યારે ટીમ ઈન્ડિયાએ 14 વર્ષથી પાકિસ્તાનની મુલાકાત લીધી નથી. છેલ્લે એશિયા કપ રમવા માટે 2008માં પાકિસ્તાનનો પ્રવાસે ગઈ હતી.