બીસીસીઆઇએ સ્પષ્ટતા કરી છે કે તેને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના એશિયા કપની યજમાની કરવા પર કોઇ આપત્તી નથી પરંતુ ભારતીય ટીમ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. બીસીસીઆઇએ કહ્યું કે, એશિયા કપનું સ્તર તટસ્થ હોવુ જોઇએ, કેમકે તેના માટે આ સમય પાકિસ્તાન જવુ વિકલ્પ નથી. આ વર્ષે એશિયા કપ રમવામાં આવશે, જે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાવા જઇ રહેલી ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓના હિસાબે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
BCCIની સ્પષ્ટતા, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એશિયા કપની યજમાની કરવા પર કોઇ આપત્તી નથી
તટસ્થ સ્થળ હંમેશાથી વિકલ્પ રહ્યો છે, બીસીસીઆઇએ 2018માં આ કર્યું : BCCI
જો ભારતને એશિયા કપનો ભાગ બનવું હોય તો એ જરૂરી છે કે ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં ન થાય
બીસીસીઆઇના એક સીનિયર અધિકારીએ કહ્યું કે, યજમાનીનો કોઇ મુદ્દો નથી અને આ માત્ર તટસ્થ સ્થળે રમવાની વાત છે, કેમકે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે નહીં.
અધિકારીએ કહ્યું કે, સવાલ એ નથી કે પીસીબી યજમાની કરી રહ્યું છે. આ ટૂર્નામેન્ટના સ્થળની વાત છે. હાલ આ સમયે જે પ્રકારે સ્થિતિ છે, તેથી એ સ્પષ્ટ છે કે અમને તટસ્થ સ્થળ જોઇએ. એવી કોઇ સંભાવના નથી કે ભારત મલ્ટી નેશન ટૂર્નામેન્ટમાં ભાગ લેવા પાકિસ્તાન જાય. જો એશિયાઇ ક્રિકેટ પરિષદ (ACC) આ વાતથી ખુશ છે કે એશિયા કપ વિના ભારતે યોજાય તો એ અલગ વાત છે. પરંતુ જો ભારતને એશિયા કપનો ભાગ બનવું હોય તો એ જરૂરી છે કે ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં ન થાય.
2018માં એશિયા કપ ભારતમાં યોજાવાનો હતો, પરંતુ પાકિસ્તાની ખેલાડીઓને લઇને વિઝાની સમસ્યા થઇ હતી અને આ કારણે એશિયા કપ સંયુકત અરબ અમીરાત (UAE) માં કરાવવામાં આવ્યો હતો અને તેની યજમાની બીસીસીઆઇએ કરી હતી. અધિકારીએ કહ્યું કે, પીસીબી પણ આ કરી શકે છે.
તેઓએ કહ્યું કે, તટસ્થ સ્થળ હંમેશાથી વિકલ્પ રહે છે. બીસીસીઆઇએ 2018માં આ કર્યું હતું. પાકિસ્તાનમાં 2009માં શ્રીલંકા ક્રિકેટ ટીમની બસ પર આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો ત્યારથી પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નહોતો થયો.
જોકે હાલમાં જ શ્રીલંકાએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો, તથા બાંગ્લાદેશ પણ પ્રવાસ પર છે. જોકે, ભારત અને પાકિસ્તાનનો મુદ્દો તેનાથી વધારે છે. બંને દેશોની વચ્ચે રાજકીય સંબંધોને કારણે એ સ્થિતિ છે કે ભારત કોઇપણ કિંમતે પાકિસ્તાનનો પ્રવાસ ન કરી શકે.