પૈસાની લેવડ-દેવડને લગતા મોટાભાગના કામ માટે હવે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે paytm e-walletનો ઉપયોગ કરો છો તો આજથી તમારા ખિસ્સા પર ભાર વધવાનો છે Paytm પૈસા સંબંધી નિયમમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. જેથી જો તમે પણ Paytmનો ઉપયોગ કરો છો તો આ તમારા માટે મોટા સમાચાર છે, કારણ કે આજે (30 ડિસેમ્બર)થી Paytm e-walletમાં પૈસા જમા કરવાના નિયમમાં ફેરફાર થવાના છે. ગ્રાહકોએ હવે ક્રેડિટ કાર્ડથી Paytm e-walletમાં પૈસા જમા કરાવવા પર ચાર્જિસ ચૂકવવા પડશે.
ગ્રાહકો આજથી ધ્યાન રાખજો
Paytm લાવ્યું નવો નિયમ
વોલેટમાં પૈસા જમા કરાવવા પર થશે ચાર્જ
એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે
Paytmની વેબસાઈટ પરથી મળતી માહિતી મુજબ, જો તમે ક્રેડિટ કાર્ડથી Paytm e-walletમાં 10,000 રૂપિયા જમા કરો છો તો કોઈ ચાર્જ નહીં લાગે, પરંતુ જો તમે તેનાથી વધુ રકમ Paytm e-walletમાં જમા કરો છો તો 1.7 ટકા ચાર્જની સાથે જીએસટી પણ ચૂકવવું પડશે અને જો તમે 10,000થી વધુની રકમ એકસાથે જમા કરો છો તો તમારે આ સંપૂર્ણ રકમ પર ચાર્જ ચૂકવવો પડશે.
નવા નિયમ પર થશે આ અસર
એક ઉદાહરણ તરીકે જો તમે તમારા Paytm e-walletમાં 12,000 રૂપિયા જમા કરાવો છો તો સમગ્ર 12,000 રૂપિયા પર 1.7 ટકા+જીએસટી લાગશે. એટલે કે, તમારે આ આ રકમ પર 240 રૂપિયા એક્સ્ટ્રા ચૂકવવા પડશે અને તમારા ક્રેડિટ કાર્ડથી 1240 રૂપિયા ડિડક્ટ થશે.
બેવાર 5-5 હજાર Paytm e-walletમાં એડ કરશો તો નહીં લાગે ચાર્જિસ
બીજી બાજુ જો તમારા Paytm e-walletમાં 5 હજાર રૂપિયા જમા કરાવ્યા છે અને ફરી 5 હજાર રૂપિયા એડ કરાવો છો તો કોઈ જ ચાર્જ ચૂકવવો નહીં પડે, પણ જો Paytm e-walletમાં 5 હજારથી એક રૂપિયો પણ વધારે એડ કર્યો તો આ રકમ પર ચાર્જિસ લાગશે એટલે કે 5 હજાર રૂપિયા એડ કર્યા બાદ વધુ 6 હજાર રૂપિયા Paytm e-walletમાં એડ કરશો તો 6 હજાર પર ચાર્જિસ ચૂકવવા પડશે.