Paytmની પેરેન્ટ કંપની One97 Communicationsનો શેર ગુરુવારે શેરબજારમાં લિસ્ટ થયો હતો. Paytm ક્યારે નફાકારક બનશે તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી.
Paytmના શેર મંગળવારે સવારે BSE પર રૂ. 1358.00 પર ખુલ્યા
સોમવારે તે રૂ. 1360.30 પર બંધ થયો હતો
NSE પર શેર 9.58% ના વધારા સાથે બંધ થયો
Paytmના રોકાણકારો માટે રાહતના સમાચાર
ડિજિટલ પેમેન્ટ કંપની Paytmના રોકાણકારો માટે રાહતના સમાચાર આવ્યા છે. બે દિવસના ભારે ઘટાડા પછી, Paytmની પેરેન્ટ કંપની One97 Communicationsના શેરમાં વધારો જોવા મળ્યો. કંપનીનો શેર મંગળવારે BSE પર 134.65 પોઈન્ટ અથવા 9.90%ના વધારા સાથે રૂ.1494.95 પર બંધ થયો હતો.સોમવારે તે રૂ.1360.30 પર બંધ થયો હતો અને મંગળવારે સવારે રૂ 1358.00 પર ખુલ્યો હતો.આખા દિવસના ટ્રેડિંગમાં શેર રૂ.1525ની ઊંચી સપાટીએ ગયો હતો.એનએસઇ પર,વન97 કોમ્યુનિકેશન્સનો શેર 130.20 પોઇન્ટ અથવા 9.58% વધીને રૂ. 1,489.80 પર બંધ થયો હતો. શેર સવારે રૂ. 1,360 પર ખૂલ્યો હતો.
બે સેશનમાં 40 ટકાથી વધુ તુટ્યો હતો શેર
અગાઉ Paytmના શેરમાં ઘટાડાનો ટ્રેન્ડ સતત બે દિવસ સુધી ચાલુ રહ્યો હતો. ગુરુવારે તેણે શેરબજારમાં દસ્તક આપી હતી. અને પ્રથમ દિવસે તે તેની ઇશ્યૂ કિંમતથી 27 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. સોમવારે શરૂઆતના વેપારમાં તે 17 ટકાથી વધુ ઘટ્યો હતો. અંતે તે રૂ. 1,360.30 પર બંધ રહ્યો હતો. ગુરુ નાનક જયંતિના અવસર પર શુક્રવારે શેરબજાર બંધ રહ્યું હતું.
નિષ્ણાંતોનું શું કહેવું છે ?
નિષ્ણાતો કહે છે કે Paytm ક્યારે નફાકારક બનશે તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી. ઉપરાંત, કંપનીની વરિષ્ઠ ટીમની આસપાસ અનિશ્ચિતતા છે અને સ્થાનિક સંસ્થાઓ આ ક્ષણે આમાં મોટો દાવ લગાવે તેવી અપેક્ષા નથી.પ્રભુદાસ લીલાધરના ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સના વડા પિયુષ નાગડાએ જણાવ્યું હતું કે ટૂંકાથી મધ્યમ ગાળામાં Paytm શેરની કિંમત દબાણ હેઠળ રહેશે. તેમણે કહ્યું કે આનું કારણ એ છે કે આઈ.પી.ઓ રોકાણકારો તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરશે અને જ્યાં સુધી સેન્ટિમેન્ટ બદલાશે નહીં ત્યાં સુધી નવા રોકાણકારો તેને સ્પર્શશે નહીં. ખોટ કરતી કંપની માટે વાજબી મૂલ્ય આપવું મુશ્કેલ છે પરંતુ તે 1250 થી 1300 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. સંસ્થાઓ આ કિંમતમાં થોડો રસ દાખવી શકે છે.