જો તમે પણ Paytmનો ઉપયોગ કરો છો અને તમને ક્રિકેટ જોવાનુ પસંદ છે તો આ તમારા માટે કામની વાત છે. Paytm એ પોતાના યુઝર્સ માટે એક નવી ઑફર રજૂ કરી છે. આ ઑફર હેઠળ તમને 4 રૂપિયાના બદલે 100 રૂપિયાનું કેશબેક પ્રાપ્ત થશે.
Paytm એ પોતાના યુઝર્સ માટે એક નવી ઑફર રજૂ કરી
4 રૂપિયાના બદલે 100 રૂપિયાનું કેશબેક પ્રાપ્ત થશે
Paytm એ કેશબેક સહિત અન્ય ઘણા ઈનામોની પણ કરી જાહેરાત
Paytm એ શરૂ કરી ઑફર
કંપનીએ આ ઑફર આગામી પેટીએમ ભારત-વેસ્ટ ઈન્ડીઝ વન-ડે અને ટી-20 મેચોને ધ્યાનમાં રાખીને રજૂ કરી છે. જો તમે પણ આ ઑફરનો લાભ ઉઠાવવા માગો છો તો આવો જાણીએ. મહત્વનું છે કે, 6 થી 20 ફેબ્રુઆરીની વચ્ચે ભારત-વેસ્ટ ઈન્ડીઝ વન-ડે અને ટી-20 મેચો દરમ્યાન યુપીઆઈ મની ટ્રાન્સફર પર Paytm એ કેશબેક સહિત અન્ય ઘણા ઈનામોની પણ જાહેરાત કરી છે. કંપનીએ માહિતી આપી છે કે મેચના દિવસોમાં નવા યુઝર 4 નુ 100 કેશબેક ઑફરનો લાભ ઉઠાવી શકશે. આ દરમ્યાન 4 રૂપિયાના મની ટ્રાન્જેક્શન કરવાથી 100 રૂપિયાનું કેશબેક પ્રાપ્ત થશે.
આ રીતે મળશે કેશબેકનો લાભ
જો તમે પણ 4 રૂપિયાના ટ્રાન્સફર પર 100 રૂપિયાનું કેશબેક પ્રાપ્ત કરવા માંગો છો તો તમારે Paytmના રેફરલ કાર્યક્રમમાં ભાગ લેવો પડશે. રેફરલ કાર્યક્રમ હેઠળ જ્યારે કોઈ યુઝર પોતાના મિત્રો અને પરિવારજનોને યુપીઆઈ મની ટ્રાન્સફર માટે Paytmનો ઉપયોગ કરી ઈનવાઈટ મોકલે છે તો રેફરર અને રેફરી બંનેને 100 રૂપિયાનું કેશબેક મળશે. એટલેકે તમે તમારા Paytmનો ઉપયોગ કરવા માટે ઈનવાઈટ મોકલીને કેશબેકનો લાભ ઉઠાવી શકો છો. ઉલ્લેખનીય છે કે, આ ઑફરને પ્રોત્સાહન આપવા માટે Paytm એ ભારતીય ક્રિકેટરો યુઝવેન્દ્ર ચહલ, હરભજન સિંહ અને વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી ક્રિસ ગેલની સાથે એક ઑનલાઈન અભિયાન પણ શરૂ કર્યુ છે.