રાજ્યમાં ખેડૂતોને ચુકવાયેલ પાક વીમાને લઇને આંકડા રજૂ કરવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 10.54 લાખ ખેડૂતોને પાક વીમો ચુકવાયો છે. જ્યારે હજુ પણ 7.46 લાખ ખેડૂતોને પાક વીમો ચુકવવાનો બાકી છે. કપાસ અને એરંડાના ખેડૂતોને પાક વીમો ચુકવવાનો બાકી છે. જોકે સરકાર પાક વીમો ચુકવવા અંગે આશ્વાસન આપ્યું છે.
પાક વીમા અંગે સરકારની જાહેરાત
રાજ્યમાં પાક વીમા મુદ્દે કૃષિ વિભાગના અધિક સચિવે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં ખેડૂતોને રૂ. 2 હજાર 50 કરોડ પાક વીમા પેટે ચુકવાયા છે. જેમાનાં અમદાવાદમાં 74089 ખેડુતોને રૂ.135.58 કરોડનો પાક વીમો ચુકવાયો છે. અમરેલીમાં 135332 ખેડુતોને રૂ.306.46 કરોડનો પાક વીમો ચુકવાયો છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં રૂ. 11.77 કરોડનો પાક વીમો ચુકવાયો છે. ભાવનગરમાં રૂ. 13.44 કરોડનો પાક વીમો ચુકવાયો છે. દેવભૂમિ દ્ધારકામાં 96,252 ખેડુતોને રૂ.493.16 કરોડ ચુકવાયા છે. જૂનાગઢમાં રૂ.318.21 કરોડનો પાક વીમો ચુકવાયો છે. કચ્છમાં 24080 ખેડુતોને રૂ.38.66 કરોડનો પાક વીમો ચુકવાયો છે. મોરબીમાં રૂ.145.71 કરોડનો પાક વીમો ચુકવાયો છે. પોરબંદરમાં રૂ.329.22 કરોડનો પાક વીમો ચુકવાયો છે.
આમ રાજ્યમાં રાજ્યમાં 10 લાખ 54 હજારને ખેડુતોને પાક વીમો ચુકવાયો છે. જ્યારે 7.46 લાખ ખેડૂતોને પાક વીમો ચુકવવાનો બાકી છે.
અછતગ્રસ્ત વિસ્તારોમાં ધીરાણ લોનમાં નહિ મળે માફીઃ કૃષિ અધિક મુખ્ય સચિવ
વધુમાં ગાંધીનગરમાં કૃષિ અધિક મુખ્ય સચિવે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, પાક નિષ્ફળ ગયો હોવા છતાં ખેડુતોએ લોન ભરવી પડશે. ખેડૂતો ધિરાણ લોન નહિ ભરે તો નવી લોન નહિ મળે. અછતગ્રસ્ત વિસ્તારમોમાં 1583 કરોડ જેટલી રકમ સહાયરૂપે ફાળવવામાં આવી છે.