મુંબઈ વીઆઈઆર નાયર હોસ્પિટલની મેડિકલ વિદ્યાર્થિનીના આત્મહત્યા કેસમાં આજે પ્રથમ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ભક્તિ મેહરે નામની મહિલા ડોક્ટરની ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય બે ડોક્ટરની ધરપકડ માટે તેમની શોધખોળ ચાલુ છે. તેના માટે ઠેર ઠેર છાપામારી કરવામાં આવી રહી છે. એ પહેલા સવારે હોસ્પિટલ વહીવટીતંત્ર દ્વારા પ્રસૂતિ વિભાગના અધ્યક્ષને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
આ સાથે જ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ત્રણેય આરોપી મહિલા ડોકટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મેડિકલ વિદ્યાર્થિની પાયલની આત્મહત્યા બાદ તેની માતાએ હોસ્પિટલના ત્રણ ડોકટરો પર માનસિક યાતના આપવાનો આરોપ લગાવ્યો હતો.
શિવસેનાએ 'સામના'માં ઉઠાવ્યા સવાલ
પાયલની આત્મહત્યાને લઇને શિવસેનાએ પોતાના મુખપત્રમાં સવાલ ઉઠવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે, પાયલ તડવીની દર્દનાક દાસ્તાન મહારાષ્ટ્ર જેવા પ્રગતિશીલ કહેવાતા સમાજ પર સવાલિયત નિશાન છે. રેગિંગ વિરોધી કાયદો બને 2 દાયકાઓ વીતી ગયા છે પરંતુ પરીસ્થિતી તો પહેલા જેવી જ છે. અત્યાર સુધી રેગિંગનું ભૂત બોટલમાં બંધ થઇ શક્યું નથી.
Medical student Payal Tadvi suicide case: National Commission for Women writes to director of BYL Nair Hospital requesting for an investigation and apprise the commission of action taken in the case. pic.twitter.com/CQi9CTWk38
શું બની હતી ઘટના..?
મહારાષ્ટ્રના જલગાંવની વતની પાયલ તડવીના નામની યુવતી ડૉક્ટર બન્યા બાદ તેના આસપાસના વિસ્તારમાં રહેતા આદિવાસી વિસ્તારમાં સેવા કરવા માગતી હતી અને એટલે જ તેણીએ મેડિકલમાં ગાયનેકૉલૉજી (સ્ત્રીરોગ વિશેષજ્ઞ)નો અભ્યાસ કરી રહ્યાં હતાં.
જો કે, હવે તેમનાં આ ઓરતા અધૂરાં રહી જવા પામ્યા હતા પાયલે 22 મેના રોજ આત્મહત્યા કરી લીધી છે. પાયલના પરિવારે તેના કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ પર ખોટી રીતે કનડગત કરવાનો આરોપ લગાવ્યો છે.
આપને જણાવી દઇએ કે, આ મામલે IPCની કલમ 306/34 હેઠળ ત્રણ મહિલા ડૉક્ટરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદમાં ટૅક્નૉલૉજીના કાયદાની કેટલીક કલમો પણ લગાડવામાં આવી છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલું છે.