પાયલે બાદમાં પોસ્ટ ડિલીટ કરી દીધી હતી અને તે સિવાય તેના પર આરોપ હતો કે તે સોસાયટીના લોકો સાથે વારંવાર ઝઘડતી હતી સાથે જ ચૅરમેનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
શું છે સમગ્ર મામલો
બોલીવૂડ સેલેબ્સ રોજબરોજ કોઇ ને કોઇ વાતને લઇને ચર્ચામાં આવતા હોય છે પરંતુ અમદાવાદના એક શખ્સે એક્ટ્રેસ પાયલ રોહતગી સામે ફરીયાદ નોંધાવી છે.
પાયલ રોહતગી તેના વિવાદિત નિવેદનોને લઇને જાણીતી છે. તેણે કંગનાથી લઇને રાજકારણીઓ સુધી લોકો વિશે વિવાદિત નિવેદનો આપેલા છે. ત્યારે અમદાવાદના પરાગ શાહ નામના તબીબે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પરાગે લગાવ્યો આરોપ
પરાગ શાહ નામના તબીબે આરોપ લગાવ્યો છે તે સોશ્યલ મિડીયા પર એક્ટ્રેસે સોસાયટીના ચેરમેન વિરુદ્ધ લખાણ લખ્યુહતુ અને વૉટ્સઍપ ગ્રુપમાં અપશબ્દો પણ કહ્યાં હતા.
કોમન પ્લોટમાં રમવા બાબતે ધમકી આપી હતી અને બાદમાં કહ્યું હતુ કે સોસાયટીના સભ્યોને ખોટા કેસમાં ફસાવી દઇશ.
પ્રધાનમંત્રી વિરુદ્ધ આપ્યુ હતુ નિવેદન
એક્ટ્રેસે ગુસ્સો કરતા કહ્યું કે આ બધુ કેવી રીતે થઇ રહ્યું છે. એક્ટ્રેસનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં પાયલ રોહતગી રોતી દેખાઇ રહી છે અને મોદીજીને સવાલ કરે છે કે તમને શરમ નથી આવતી
એક્ટ્રેસે પીએમ મોદી પર ભડાસ કાઢતા કહ્યું કે તમને જે સપોર્ટ કરે છે તેમની સાથે આવુ થાય છે, લોકો તમારા ફોટા લગાવીને ડૉક્ટર બની જાય છે, પેશન્ટને ગુમરાહ કરે છે અને કોઇ કંઇ નથી બોલતુ. તમને ત્યાંના લોકોએ પણ સપોર્ટ કર્યો હતો ને, તમે કંઇ 2-3 લોકોના વોટથી તો સત્તામાં નથી આવ્યા ને.
પાયલ વીડિયોમાં આગળ કહે છે કે, તમને તો બહુ બધા લોકોએ વોટ કર્યો છે ને. તમે લોકતંત્ર દ્વારા જ ચૂંટાઇને સેન્ટરમાં આવ્યા છો ને તે સિવાય અમે કેમ ટાર્ગેટ હોઇએ છીએ કારણકે અમે તમને સપોર્ટ કરીએ છીએ. તમને જે ઠીક લાગે તે કરો.