એક્ટ્રેસ પાયલ ઘોષ ન માત્ર બોલીવુડના પ્રખ્યાત ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પર લગાવેલ યૌન શોષણના આરોપોને લઇને ચર્ચામાં છે પરંતુ ઋચા ચડ્ઢાની સાથે પોતાના કેસને લઇને પણ ચર્ચામાં છે. પાયલે હવે એક ટ્વિટ કર્યું છે જેમાં તેમણે પ્રધાનમંત્રી મોદી સાથે મદદની અપીલ કરી છે.
પાયલ ઘોષે પ્રધાનમંત્રી મોદી પાસે મદદની અપીલ કરી
પાયલે કહ્યું- માફિયા ગેંગ મને મારી નાખશે
ઋચા સાથે મારે કોઇ મતલબ નથી, મારી લડાઈ અનુરાગ કશ્યપ સાથેઃ પાયલ ઘોષ
પાયલ ઘોષે PMO, પીએમ મોદી અને રેખા શર્માને ટેગ કરતા ટ્વિટ કર્યું છે અને કહ્યું કે, માફિયા ગેંગ તેમને મારી નાખશે. આ પહેલા કંગના રણૌત પણ બોલીવુડના માફિયા ગેંગને લઇને કેટલાક ટ્વિટ કરી ચૂક્યા છે. પાયલે પોતાના ટ્વિટમાં લખ્યું- આ માફિયા ગેંગ મને મારી નાખશે સર અને રેખા શર્મા મેમ અને મારા મૃત્યુને સુસાઇડ અથવા બીજું કંઈ સાબિત કરી દેશે.
ઋચા સાથે મારે કોઇ મતલબ નથી, મારી લડાઈ અનુરાગ કશ્યપ સાથેઃ પાયલ ઘોષ
ઉલ્લેખનીય છે કે, પાયલ ઘોષે ગત દિવસોમાં ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવતા એક્ટ્રેસ ઋચા ચડ્ઢાના નામનો ઉલ્લેખ કર્યો હતો. ત્યાર બાદ ઋચાએ પાયલ ઘોષ વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરાવ્યો હતો. ઋચા ચડ્ઢાએ ત્યારબાદ પોતાના સત્તાવાર અધિકારિક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોમ્બે હાઇકોર્ટના નિર્ણયની કોપી શેર કરતા જણાવ્યું છે કે તેઓ કેસ જીતી ગઇ છે.
જોકે પાયલે આના પર રિએક્ટ કરતા કહ્યું હતું કે અત્યારે આ કેસ કોર્ટમાં વિચારધીન છે. જોકે ઋચા ચડ્ઢાના કેસ કર્યા બાદ પાયલ ઘોષે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે તેમની લડાઈ માત્ર અનુરાગ કશ્યપ વિરૂદ્ધ છે. તેમના ઋચા ચડ્ઢા સાથે કોઇ લેવા-દેવા નથી.