જો તમે પણ દિવાળીના દિવસે મા લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માગો છો તો આ બાબતોનું જરૂર ધ્યાન રાખો.
દિવાળીના દિવસે મા લક્ષ્મીની આ રીતે વિશેષ કૃપા મેળવો
દિવાળીની પૂજા કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું
ધનતેરસ સાથે 5 દીવાસ્ય દિવાળી પર્વની શરૂઆત થઈ જાઈ છે. ધનતેરસ પછી નરક ચતુદર્શી દિવાળી, ગોવર્ધન પૂજા અને ભાઈ બીજ થી સમ્પન થાય છે. દિવાળીના દિવસે ગણપતિ સાથે મા લક્ષ્મીની પૂજા કરવાના અમુક વિધાન આપેલા છે. જો તમે પણ દિવાળીના દિવસે મા લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માગો છો તો આ બાબતોનું જરૂર ધ્યાન રાખો.
પંચાંગ પ્રમાણે આ વર્ષે દિવાળી 24 ઓક્ટોબરના ઉજવવામાં આવશે. આ સાથે જ નરક ચતુદર્શી પણ ત્યારે જ માનવામાં આવશે. દિવાળીના અગલા દિવશે સૂર્ય ગ્રહણ પણ છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે દિવાળીની પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું..
- દિવાળી પર મહાલક્ષ્મીની પૂજા કરતી વખતે ખાસ ચોઘડિયા અને મુહૂર્તનું ધ્યાન રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જો મુહૂર્તમાં પૂજા કરવામાં આવે તો મા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે.
- દિવાળીના દિવસે મા લક્ષ્મીની સાથે ગણેશજી, ભગવાન કુબેર અને મા સરસ્વતીની પણ પૂજા કરવામાં આવે છે.
- દિવાળીના દિવસે મહાલક્ષ્મીસામે સાતમુખ વાળો દીવો પ્રગટાવવો જોઈએ.
- સાથે એવું પણ માનવામાં આવે છે કે દિવાળીના દિવસે પૂજા કરતાં સમયે કળશની સ્થાપના પણ કરવી જોઈએ.
- દિવાળીના દિવસે મુખ્ય દરવાજા પાસે મહાલક્ષ્મીના પગના નિશાન એવી રીતે લગાવો કે તે બહારથી અંદર આવતી દેખાય.
- મહાલક્ષ્મીની પૂજા કરતી વખતે મખાના, સિંઘાડા, બાતાશા, ખીર, દાડમ, પાન, સફેદ અને પીળા રંગની મીઠાઈ, શેરડી વગેરે ચઢાવો.
- મહાલક્ષ્મી અને ગણેશજીની પૂજા કરતી વખતે ધ્યાન રાખો કે તમારે તમારું મુખ ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ તરફ રાખવું જોઈએ.
- મહાલક્ષ્મીની સાથે કુબેર યંત્રને પણ યોગ્ય દિશામાં રાખો.