એ જાણવું જરૂરી છે કે દિવાળીના આયોજનમાં આપણે આ નાની નાની વાતોનો સમાવેશ કરી તો લક્ષ્મીજી મન ખોલીને આશીર્વાદ વરસાવશે.
કારતક મહિનાની અમાસના દિવસે દિવાળી ઉજવવામાં આવે છે
દિવાળીની તૈયારી સમયે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ
લક્ષ્મીજી મન ખોલીને આશીર્વાદ વરસાવશે
દિવાળીના તહેવારની તૈયારીઓ લગભગ દરેક ઘરોમાં શરૂ થઈ ગઈ છે. આ તહેવાર કારતક મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવારની ખાસ વાત એ છે કે એક તરફ અમાસને કારણે આખું વાતાવરણ અંધકારમાં ડૂબી જાય છે પણ દીવાઓ દ્વારા અંધકાર દૂર કરીને પ્રકાશ ફેલાય છે. દેશના ખૂણે ખૂણામાં દિવાળી ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળીનો મુખ્ય તહેવાર 24 ઓક્ટોબર સોમવારના રોજ ઉજવવામાં આવશે પણ લોકો અત્યારથી જ તેમના ઘરની સફાઈ અને સજાવટમાં વ્યસ્ત થઈ ગયા છે. સાથે સાથે પ્લાનિંગ પણ કરી રહ્યા છે કે આ ધનતેરસના દિવસે જ્વેલરીમાં શું ખરીદવું. દિવાળીના ખાસ તહેવાર પર ઘણા લોકો વાહન અને મકાન પણ ખરીદે છે. આ બધી તૈયારીઓ તો ઠીક છે પણ એ જાણવું જરૂરી છે કે દિવાળીના આયોજનમાં આપણે આ નાની નાની વાતોનો સમાવેશ કરી તો લક્ષ્મીજી મન ખોલીને આશીર્વાદ વરસાવશે.
દિવાળીની તૈયારી સમયે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ
- દિવાળી એક એવો તહેવાર છે જ્યાં ઘરનો દરેક ખૂણો સાફ કરવામાં આવે છે. ઘરની સાફ સફાઇ સમયે વધારાનો સમાન અને કચરો બહાર કાઢવામાં આવે છે કારણ કે વધારાનો નકામો સામાન નકારાત્મક ઉર્જા વધારે છે અને જ્યાં નકારાત્મક ઊર્જા અને ગંદકી છે, ત્યાં લક્ષ્મીજી આવતા નથી.
- દિવાળીની સાફસફાઇ પછી ઘરની તમામ વસ્તુઓને વ્યવસ્થિત અને સુશોભિત રીતે ગોઠવવી જોઈએ.
- દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસ ઉજવવામાં આવે છે અને આ વખતે 23 ઓક્ટોબરે ધનતેરસ મનાવવામાં આવશે. આ દિવસે ધન માટે ભગવાન કુબેરને ખુશ કરવા માટે પૂજા રાખવી જોઈએ.
-આ વખતે કાળી ચૌદશ અને દિવાળીનો તહેવાર એક જ દિવસે ઉજવવામાં આવશે. એ દિવસે વરુણ, યમ અને હનુમાનજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. હનુમાનજીને ચોલા ચઢાવ્યા પછી, ભોગ ચઢાવો અને સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
- દિવાળીના દિવસે ઘરના તમામ લોકોએ સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરીને નવા વસ્ત્રો પહેરવા જોઈએ. આ વખતે 24 ઓક્ટોબરે સવારે ચૌદશ અને સાંજે દિવાળી ઉજવવામાં આવશે.