આજે પવન ખેરા આજે ગુજરાતમાં બિલકિસ બાનુ કેસ મુદ્દે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, જ્યાં તેમણે સરકાર પર પ્રહાર કરતાં કહ્યું, બિલકિસ બાનુ કેસમાં હત્યારાઓને છોડી દેવા એ કેવી રીતે ચલાવી લેવાય ?
બિલકિસ બાનુ કેસ મુદ્દે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ પત્રકાર પરિષદ યોજી સરકાર પર પ્રહાર કર્યા હતા. આજે પવન ખેરાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, બિલકિસ બાનુ કેસમાં હત્યારાઓને છોડી દેવા એ કેવી રીતે ચલાવી લેવાય ? શું આપણે ધર્મ જોઈને નક્કી કરીશું કે કોને સજા આપવી. આ ચુકાદામાં કેન્દ્ર સરકારની સહમતી નથી લેવામાં આવી. બંધારણમાં જોગવાઈ છે કે, આવા કેસોમાં કેન્દ્ર સરકારની સહમતી લેવામાં આવે છે. નોંધનીય છે કે,આજે પવન ખેરા આજે ગુજરાતમાં બિલકિસ બાનુ કેસ મુદ્દે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
બિલકિસ બાનુ હત્યારાઓને છોડી દેવા એ કેવી રીતે ચલાવી લેવાય ?
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા આજે ગુજરાત આવ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે,બિલકિસ બાનુ કેસમાં હત્યારાઓને છોડી દેવા એ કેવી રીતે ચલાવી લેવાય ? શું આપણે ધર્મ જોઈને નક્કી કરીશું કે કોને સજા આપવી. વિશ્વનો દરેક માણસ આજે દિલ્હીમાં નજર રાખીને બેઠો છે કે, મોદીજી શું બોલે છે અને શું નહી. અમે લોકોને આહવાન કરીએ છીએ કે, આપણે એક થઈને આ મામલે માંગ કરીએ છીએ.
રાજ્યસભા ના સાંસદ અમી યાજ્ઞિક નિવેદન આ[પટ જણાવ્યું હતું કે, બિલકિસ બાનુના 11 દોષિતો જેલની બહાર ફરી રહ્યા છે. 2002માં ગર્ભવતી સમયે સામૂહિક દુષ્કર્મ થયું, તેમની દીકરી અને પરિવારોની હત્યા કરવામાં આવી હતી. બિલકિસ બાનુ અને તેમના પરિવારજનો હજુ પણ બીકમાં રહે છે. આ સરકારમાં સંવેદનશીલતા રહી નથી. સરકારમાં પણ મહિલાઓ બેઠા છે પણ તેઓને કશું બોલવું નથી. ગઈકાલે 46 વર્ષના પુરુષે 16 વર્ષની દીકરીનું ગળું કાપ્યું- સુરતમાં પણ આવી ઘટના બની તેમ છતાં અત્યાચાર બંધ ન થયા/ બિલકિસ બાનુના કેસમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ચૂપ છે.
બિલકિસ બાનો રેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતો સોમવારે ગોધરા સબ જેલમાંથી મુક્ત થઈ ગયા છે. વિગતો મુજબ ગુજરાત સરકારે પોતાની ક્ષમા નીતિ હેઠળ તેમની મુક્તિ માટેની મંજૂરી આપી છે. જોકે હવે કોંગ્રેસે આ મામલે દેશના રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાશુદ્દીન, શેખ જાવેદ પીરઝાદા અને ઇમરાન ખેડાવાલાએ દ્રૌપદી મુર્મૂને પત્ર લખી ગુજરાત સરકારના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા માંગ કરી છે. આ પત્રમાં 11 આરોપીના મુક્ત કરવા અંગેના નિર્ણય ને પરત લેવા અપીલ કરવામાં આવી છે.
શું હતો સમગ્ર મામલો ?
3 માર્ચ, 2002ના રોજ ગોધરા કાંડ પછી થયેલા રમખાણો દરમ્યાન દાહોદ જિલ્લા માટે લીમખેડા તાલુકાના રંધિકપુર ગામમાં ટોળાએ બિલ્કીસ બાનોના પરિવાર પર હુમલો કર્યો હતો. બિલ્કીસ તે સમયે પાંચ મહિનાની ગર્ભવતી હતી. તેની સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ કેસના આરોપીઓની 2004મા ધરપકડ કરવામાં આવી હતી. જોકે બિલ્કીસ બાનો સામૂહિક રેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતો સોમવારે ગોધરા સબ જેલમાંથી મુક્ત થઈ ગયા છે. ગુજરાત સરકારે પોતાની ક્ષમા નીતિ હેઠળ તેમની મુક્તિ માટેની મંજૂરી આપી છે.