યાત્રાધામ પાવાગઢ મંદિરના દર્શનાર્થીઓ માટે આગામી 13 થી 17 ડિસેમ્બર દરમિયાન મંદિર બંધ રહેશે, મંદિરનું નિર્માણકાર્ય ચાલુ હોવાથી લેવાયો મહત્વનો નિર્ણય
પાવાગઢ મંદિર ચાર દિવસ દર્શન માટે બંધ રહેશે
13 થી 17 ડિસેમ્બર દરમિયાન મંદિર ભક્તો માટે બંધ રહેશે
મંદિરનું નિર્માણકાર્ય ચાલુ હોવાથી મંદિર રહેશે બંધ
આ દિવસો દમરમિયાન સુધી ભૂલથી પણ પાવાગઢ ના જતા નહીતર ધરમના ધક્કા ખાવા પડી શકે છે કેમ કે 13 થી 17 ડિસેમ્બર સુધી પાવાગઢ મંદિર ચાર દિવસ માટે બંધ રહેશ, પાવાગઢમાં મંદિરનું નિર્માણકાર્ય ચાલુ હોવાથી મંદિર બંધ રહેશે.
પાવાગઢ મંદિર ચાર દિવસ દર્શન માટે બંધ રહેશે
યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી મંદિરના દ્વાર દર્શનાર્થીઓની મોટી ભીડ જામતી હોય છે અને મોટી સંખ્યામાં દૂર દૂરથી દર્શનાર્થીઓ દર્શન કાજે આવતા હોય છે એવામાં મંદિર ચાર દિવસ સુધી બંધ રહેતા ભક્તોને ધક્કો ખાવો પડી શકે છે, મહત્વનું છે કે આગામી સપ્તાહમાં મંદિર ભક્તો માટે બંધ રાખવાનો મંદિર સંચાલકોએ નિર્ણય લીધો છે.
13 થી 17 ડિસેમ્બર દરમિયાન મંદિર ભક્તો માટે બંધ રહેશે
આગામી 13 તારીખ સોમવારથી 17 તારીખ શુક્રવાર સુધી એમ 5 દિવસ મંદિરમાં દર્શન કાર્ય બંધ રહેશે પાવાગઢ મંદિરને નવો ઓપ આપવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પાવાગઢમાં રોપવે સેવા પણ બંધ રહેશે બંધ રહેશે. અહીં યાત્રાળુઓને મહાકાળીના દર્શન સરળતાથી થઈ શકે તે માટે ઉષા બ્રેકો લિમિટેડ દ્વારા રોપ-વે સેવા શરૂ કરવામાં આવી છે પરંતુ તારીખ 13 થી 18 ડિસેમ્બર સુધી રોપ વેની સેવા પણ 6 દિવસ સુધી બંધ રહેશે જો કે, તારીખ 19 ડિસેમ્બરથી તે પુનઃ શરૂ કરી દેવામાં આવશે.
મંદિરનું નિર્માણકાર્ય ચાલુ હોવાથી મંદિર રહેશે બંધ
અહીં ઉલ્લેખનિય છે કે અગાઉ પણ ચોમાસામાં પાવાગઢ સ્થિત રોપ વે સેવા સલામતીના ભાગરૂપે થોડાં કલાકો માટે બંધ કરવામાં આવી હતી. એટલું જ નહીં એ વખતે રોપ વેમાં રિટર્ન ટિકિટ લઇને ઉપર પહોંચેલા યાત્રીઓ રોપવે બંધ હોવાનું જાણતા યાત્રાળુઓ ભારે માથાકૂટ બાદ રોપ-વે સંચાલકોએ યાત્રાળુઓને રિટર્ન ટિકિટનું રિફન્ડ આપ્યું હતું.