પાવાગઢ મંદિર ટ્રસ્ટે દુષ્કર્મ કેસના આરોપી રાજૂ ભટ્ટ સામે કાર્યવાહી કરતાં ટ્રસ્ટી તરીકે હકાલપટ્ટી કરી છે.
પાવાગઢ મંદિર ટ્રસ્ટનો કડક નિર્ણય
"રાજુ ભટ્ટની પાવાગઢ મંદિર ટ્રસ્ટી તરીકે હકાલપટ્ટી"
"ચેરિટી કમિશનરને દરખાસ્ત મોકલાઇ"
વડોદરા હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં પાવાગઢ મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્ય ટ્રસ્ટી સુરેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે આરોપી રાજુ ભટ્ટની પાવાગઢ મંદિર ટ્રસ્ટી તરીકે હકાલપટ્ટી થશે. રાજુ ભટ્ટને ટ્રસ્ટી પદેથી હટાવવા માટે ચેરીટી કમિશ્નરને દરખાસ્ત મોકલવામાં આવી છે. રાજુ ભટ્ટે જાતે ગુનો કબૂલી લીધો હોવાથી મંદિર ટ્રસ્ટે આ નિર્ણય કર્યો છે.
પાવાગઢ મંદિર ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટીનું નિવેદન
વડોદરા હાઇપ્રોફાઇલ દુષ્કર્મનો મામલે પાવાગઢ મંદિર ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટીનું નિવેદન સામે આવ્યું છે. સુરેન્દ્ર પટેલ કહ્યું છે કે રાજુ ભટ્ટે જાતે ગુનો કબૂલી લીધો છે જેથી મંદિર ટ્રસ્ટે એક નિર્ણય કર્યો છે કે પાવાગઢ મંદિર ટ્રસ્ટી તરીકે રાજૂ ભટ્ટની હકાલપટ્ટી થશે, ટ્રસ્ટી પદેથી હટાવવા દરખાસ્ત મોકલવામાં આવી છે. જણાવી દઈએ કે દુષ્કર્મ કેસમાં રાજૂ ભટ્ટનું નામ આવતાની સાથે જ આરોપીએ પાવાગઢ મંદિર ટ્રસ્ટીજ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે મંદિર ટ્રસ્ટે નિર્ણય કર્યો છે કે હવે તમામ હોદ્દા પરથી રાજૂ ભટ્ટની હકાલ પટ્ટી કરવામાં આવશે.
30 સપ્ટેમ્બરના રોજ પૂછપરછમાં રાજૂ ભટ્ટનો ખુલાસો
આરોપી રાજુ ભટ્ટે પોલીસ સમક્ષ કબૂલાત કરતા જણાવ્યું છે કે રાજુ ભટ્ટ પીડિતાને ડવડેક એપાર્ટમેન્ટમાં લઇ ગયો હતો અને કાનજી મોકરિયાએ રાજુ ભટ્ટને ભગાડવામાં મદદ કરી હતી તો બીજી તરફ એ પણ સામે આવ્યું છે કે કાનજી મોકરિયાએ વડોદરાની હાર્મની હોટેલમાં રાજુ ભટ્ટ માટે વ્યવસ્થા કરી હતી સાથે કાનજી મોકરિયાએ પીડિતાને 3 લાખ રૂપિયા દયા ભાવનાથી આપ્યા હોવાનો પણ ખુલાસો સામે આવ્યો છે. મહત્વનું છે કે રાજૂ ભટ્ટની ધરપકડ જુનાગઢથી કરવામાં આવી હતી જે બાદ રિમાન્ડકાળમાં થયેલી પોલીસ પૂછપરછમાં મોટા ખુલાસા કર્યા હતા.
ફરાર મુખ્ય આરોપી અશોક જૈનની પાલિતાણાથી ધરપકડ
વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથકમાં 19 સપ્ટેમ્બરના રોજ શહેર નજીકની ખાનગી યુનિવર્સીટીમાં કાયદાનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ સીએ અશોક જૈન અને પાવાગઢ મંદિરના પૂર્વ સ્ટ્રટી રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદથી લઇ આજદિન સુધી અશોક જૈન ફરાર હતો પરતું ક્રાઈમ બ્રાન્ચે અશોક જૈનની પાલિતાણાથી ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપી રાજુ ભટ્ટ અને આરોપીને મદદ કરનાર કાનજી મોકરીયાની પોલીસે ધરપકડ કરી, કાનજી મોકરીયાને કોર્ટે જેલમાં મોકલી આપ્યો છે.
પીડિતાના વાળ પકડી બેડરૂમમાં લઇ જઇ માર મારી દુષ્કર્મ આચર્યું
દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈનના વકીલ હિતેષ ગુપ્તા દ્વારા વડોદરાની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકવામાં આવી હતી. આગોતરા જામીન અરજી મુક્યા બાદ મામલાની તપાસ કરી રહેલી પોલીસે સોમવારે સોગંદનામું રજુ કર્યું હતું. પોલીસે કોર્ટમાં રજુ કરેલા સોગંદનામામાં કહેવાયું છે કે 2 થી 3 સપ્ટેમ્બર દરમિયાન પીડિતા નિસર્ગ એપાર્ટમેન્ટમાં ટીફીન લઇ આવી હતી. તે સમયે પીડિતાને જમવાનું કહેતા તેણીએ ના પાડી હતી જેથી અશોક જૈને ઉશ્કેરાઇને પીડિતાના વાળ પકડી બેડરૂમમાં લઇ જઇ માર મારી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલુ સોગંદનામું અને આરોપીના વકીલ દ્વારા રજુ કરવામાં આવેલા પુરાવામાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. હવે આ મામલે શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.