કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને પાવાગઢ મંદિર 22 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રએ આ જાણકારી આપી છે. 22 માર્ચથી 31 માર્ચ સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ગુજરાત સરકારની એડવાઇઝરીને ધ્યાને લઇ આ નિર્ણય લેવાયો છે.
કોરોના વાયરસને લઇને પાવાગઢ મંદિર બંધ રહેશે
31 માર્ચ સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો નિર્ણય
ગુજરાત સરકારની એડવાઇઝરીને ધ્યાને લઇ આ નિર્ણય
મુખ્યમંત્રી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી 25 માર્ચ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે અન્ય પ્રવાસન અને દર્શનીય સ્થળો બંધ રાખવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત પંચમહાલના પાવાગઢ મંદિર 22 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રહેશે. જેને લઇને ચૈત્રી નવરાત્રીમાં માઇ ભક્તો દર્શન નહીં કરી શકે.
આ અગાઉ પાવાગઢમાં આવેલ તમામ સ્થાપત્યો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોરોના વાયરસના કારણે સ્થાપત્યોની અંદર પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 39 સ્થાપત્યો પર કડક સિક્યોરિટી લગાવી નોટિસ લગાવામાં આવી છે. સિક્યોરિટી કર્મચારીઓને માસ્ક ફરજીયાત કરાવ્યું છે. 31 માર્ચ સુધી પ્રવેશ પર પ્રતિબંધ રખાશે.
શામળાજીના દર્શન બંધ કરાયા
તો આ તરફ કોરોના વાયરસને લઇને અરવલ્લીમાં પણ સલામતીના પગલા લેવામાં આવી રહ્યાં છે. 21થી 29 માર્ચ સુધી શામળાજીમાં દર્શન બંધ કરવામાં આવ્યા છે. ભક્તો માટે ભગવાન શામળિયાના દર્શન બંધ કરાયા છે. કોરોના મામલે સાવચેતી રાખવા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
બગદાણા મંદિરમા ભોજન શાળા 31 માર્ચ સુધી બંધ
ભાવનગરના બગદાણા મંદિરમાં ભોજન શાળા 31 માર્ચ સુધી બંધ રહેશે. કોરોના વાયરસને લઈને ભોજનશાળા અને ધર્મશાળા બંધ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, બગદાણામાં અત્યાર સુધીમાં પ્રથમવાર ભોજનશાળા બંધ રહેશે.