વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં રોપ-વેની સેવા બંધ કરવામાં આવી છે. મેઈન્ટેનન્સ કરવા માટે 6 દિવસ સુધી સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આમ આગામી 6 દિવસ સુધી પાવાગઢ આવનારા યાત્રાળુઓને ડુંગરના પગથિયાં ચઢીને માતાજીના દર્શન કરવા પડશે.
મેઇન્ટેન્સના પગલે રોપ-વે સેવા બંધ કરાઇ
22 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે ઉડન ખટોલાની સેવા
રોપ-વે બંધ થતાં દર્શનાર્થીઓએ સીડીથી જવું પડશે
યાત્રાળુઓને આગામી 6 દિવસ પડશે મુશ્કેલી
પાવાગઢમાં યાત્રાળુઓને મહાકાળી માતાજીના દર્શન સરળતાથી થઈ શકે તે માટે ઉષા બ્રેકો લિમિટેડ સંચાલિત રોપ-વે ચલાવવામાં આવે છે. આમ હવે મેઈન્ટેનન્સ કરવા માટે 16થી 21 સપ્ટેમ્બર સુધી રોપ-વેની સેવા બંધ રહેશે. આગામી 6 દિવસ સુધી પાવાગઢ આવનારા યાત્રાળુઓને રોપ વે નહી ચાલુ હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડશે. 22 સપ્ટેમ્બરથી રોપ-વેની સેવા ફરી શરૂ થશે.
દર્શનાર્થીઓએ સીડીનો કરવો પડશે ઉપયોગ
વડોદરા પાસે આવેલ પાવાગઢ ખાતે યાત્રાળુઓ દર્શન કરવા ઉમટી પડે છે. જેને લઇને સીડી ન ચડી શકનારા દર્શનાર્થીઓ માટે રોપ વેની સગવડ કરવામાં આવી છે. જો કે મેઇન્ટેન્સના પગલે આગામી છ દિવસ રોપ વે બંધ રહેતા દર્શનાર્થીઓએ સીડી મારફતે દર્શન કરવા જવું પડશે.
આગામી 16 થી 21 સપ્ટેમ્બર સુધી રોપ વે રહેશે બંધ
પાવાગઢ ખાતે યાત્રાળુઓને સરળતાથી દર્શન થઇ શકે તે માટે ઉષા બ્રેકો લિમિટેડ સંચાલિત રોપ-વે ચલાવવામાં આવે છે. જો કે આગામી 16થી 21 સપ્ટેમ્બર સુધી રોપ વેનું મેઇન્ટનેન્સ કરવાનું હોય સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે 22મી સપ્ટેમ્બરથી રોપ-વેની સેવા ફરી રાબેતામુજબ શરૂ થઇ જશે.
પાવાગઢ એક ખૂબસુરત હિલ સ્ટેશન
વડોદરાથી અંદાજે 50 કિલોમીટરથીદૂર પાવાગઢ રાજ્યનું ખૂબસુરત હિલ સ્ટેશન છે. અહીં એક મહાકાળી માતાજીનું મંદિર પણ આવેલ છે. જે એક દર્શનીય સ્થળ છે. આમ પાવાગઢનો પ્રવાસ એક ધર્મ અને મનોરંજનનું ડબલ પેકેજ છે. પાવાગઢનું પ્રાકૃતિક આકર્ષણ અને ઐતિહાસિક મહત્વને લઇને પર્યકટો મોટી સંખ્યામાં અહી આવે છે.