દેશ-દુનિયામાંથી કોરોના મહામારી દુર થાય તેવા શુભ આશય સાથે આજથી પાવાગઢ પરિક્રમા યાત્રાનો શુભારંભ થયો હતો. જેમાં મોટી સંખ્યા સંતો, મહંતો અને યાત્રાના સભ્યો થતા સ્થાનિકો જોડાયા હતા.
પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજથી શુભારંભ
દેશ-દુનિયામાંથી કોરોના મહામારી દુર થાય એવા સંકલ્પ સાથે પ્રસ્થાન
પરિક્રમા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
સુપ્રસિદ્ધ યાત્રા ધામ ખાતે ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજથી શુભારંભ થયો છે. આ યાત્રાનો વાઘેશ્વરી માતાજી મંદિરથી પરિક્રમા સમિતિ અને પદાધિકારીઓએ માતાજીના જય ઘોષ સાથે શરૂઆત કરાવી હતી.દેશ દુનિયામાંથી કોરોના કહેર હટે એવા સંકલ્પ સાથે શરૂ થયેલી યાત્રામાં ગુજરાતભરના ખૂણે ખૂણેથી ભક્તો ઉમટી પડ્યા હતા.
પાવાગઢની પરિક્રમા હિન્દૂ સંસ્કૃતિ પવિત્ર યાત્રા
પાવાગઢની પરિક્રમા હિન્દૂ સંસ્કૃતિ ખુબ જ પવિત્ર યાત્રા માનવામાં આવે છે. શક્તિપીઠો અને યાત્રાધામોની પરિક્રમાનું વિશેષ મહત્વ રહેલું છે. અંદાજિત 700 થી વધુ વર્ષોથી ચાલતી પાવાગઢ પરિક્રમા કાળક્રમે સંજોગો અને પરિસ્થિતિઓને આધીન આ યાત્રા સુસુપ્ત અવસ્થામાં હતી. જેને છ વર્ષથી પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા ફરી જીવંત કરવામાં આવી છે. જેનું આજે પાવાગઢના વાઘેશ્વરી મંદિરથી પગપાળા પરિક્રમાનું પ્રસ્થાન કરાવવા આવ્યું હતું. ત્યારબાદ પથમાં આવતા સ્થાનોના દર્શન કરી પાવાગઢ ડુંગર પર આવેલ નિજ મંદિર ખાતે આ યાત્રા સંપન્ન થશે.
યાત્રાનો શું છે ઇતિહાસ ?
ઐતિહાસિક મહત્વ ધરાવતી આ યાત્રાનો ઇતિહાસ એવો છે કે પાવાગઢના રાજવીઓ પણ આ પવિત્ર પરિક્રમામાં જોડાતા હતા. અને પરિક્રમા બાદ નિજ મંદિરે દર્શન કર્યા હતા જેથી તેનું વિશેષ મહત્વ છે. 44 કિમિની પગપાળા યાત્રામાં પંચમહાલ જિલ્લાના સંતો, ધારાસભ્ય સહીત સ્થાનિક અગ્રણીઓ તેમજ પાવાગઢ પરિક્રમા સમિતિના સભ્યો અને સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ યાત્રિકો અને સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો.