પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ પાવાગઢ ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે પંચમહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ મંત્રીએ રીબીન કાપી આ પંચમહોત્સવ અંતર્ગત પાંચ દિવસના સાંસ્કૃતિક અંગે સંગીત મહોત્સવના કાર્યક્રમો તેમજ અન્ય આકર્ષણોને ખુલ્લા મૂક્યાં છે.
પંચમહાલ ખાતે પંચમહોત્સવની શરૂઆત
રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે પ્રારંભ
ચાંપાનેરમાં 25 ડિસેમ્બર થી 29 ડિસેમ્બર સુધી પંચમહોત્સવ
પંચમહાલ જિલ્લાના યાત્રા ધામ પાવાગઢ ખાતે પંચમહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. આ પંચમહોત્સવ કળા, સંસ્કૃતિ અને સ્થાપત્યનો ત્રિવેણી સંગમ છે. આ વારસો વિશ્વ સમક્ષ પહોંચે તેવા ઉમદા ઉદ્દેશ્યથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
વર્લ્ડ હેરિટેજ સાઇટ એવા ચાંપાનેરમાં 25 ડિસેમ્બર થી 29 ડિસેમ્બર સુધી પંચમહોત્સવ અંતર્ગત વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં સ્થાનિક કલાકારોને પોતાની કારીગરી માટે પ્લેટફોર્મ મળી રહે તે માટે ક્રાફટ બજાર,ફૂડ બજાર,ફોટોગ્રાફી સ્પર્ધા અને મનોરંજક કાર્યક્રમો અહીં ના મુખ્ય આકર્ષણો છે.
આ તમામ આકર્ષણોને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ના હસ્તે રીબીન કાપી ખુલ્લા મુકાયાં હતા. આજે પ્રથમ દિવસે પંચમહોત્સવમાં કિર્તીદાન ગઢવી પોતાના આગવા અંદાજ કાર્યક્રમમાં રજૂ કર્યો હતો.