મહાકાળી માતાના પવિત્ર સ્થાન અને કરોડો લોકોના આસ્થા સ્થળ એવા પાવાગઢમાં દર્શને જતા લાખો ભક્તો લૂંટાઈ રહ્યાં છે. ઉડન ખટોલાની સેવા આપતી ખાનગી કંપની જ ભક્તોની લૂંટી રહી છે. પાવાગઢમાં સત્તાવાર બોર્ડ પર ઉડન ખટોલાની સેવા માટે 116 રૂપિયા ટિકિટ હોવાનું લખ્યું છે, જ્યારે ઉડન ખટોલા કંપનીના દલાલો 250 રૂપિયામાં પૈસાવાળા લોકોની તરફેણ કરીને લાઈન ક્રોસ કરાવી દે છે.