પાસ કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો મામલો હવે ગરમાયો છે. ઉપવાસ અગાઉ અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં બેરનો લાગ્યા છે.
મહત્વનું છે કે આ બેનરો પાટીદારો દ્વારા લગાવવામાં આવ્યા છે. રવિવારે હાર્દિક પટેલ એક દિવસીય ઉપવાસ આંદોલન કરશે. સરકાર મંજૂરી નહી આપે તો પણ હાર્દિક નિકોલમાં જ ઉપવાસ આંદોલન ચલાવશે.
મહત્વનું છે કે હાર્દિક પટેલે આગામી 25મી ઓગસ્ટના રોજ ઉપવાસ આંદોલનનો હુંકાર કર્યા છે અને ઉપવાસ આંદોલન ચલાવવા માટે કોર્પોરેશન પાસેથી ત્રણ જેટલી જગ્યાઓ પર મંજૂરી પણ માગવામાં આવી હતી.
જોકે કોર્પોરેશન દ્નારા નક્કી કરાયેલી જગ્યા પર પાર્કીંગ ઝોનના લેબરો મારતા હવે પાટીદારોએ પણ હાર્દિકના સમર્થનમાં લગાવી સરકારની નીતિનો આડકતરી રીતે વિરોધ નોંધાવ્યો છે.