એક એવા લગ્નની જેમાં અનોખી રીતે વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી. વરઘોડો તો નિકળ્યો પરંતુ તેમાં લગ્નના માહોલ કરતા પણ દેશભક્તિ જોવા મળી.
જુઓ આ દ્રશ્યો... એવું લાગી રહ્યું છે કે કોઈ દેશભક્તિનો કાર્યક્રમ છે. તેની રેતી નિકળી છે. નાના બાળકથી માંડી સૌકોઈના હાથમાં રાષ્ટ્ર ધ્વજ જોવા મળી રહ્યો છે. પરંતુ દરેકના માથા પર સાફો જતા માહોલ કાંઈક બીજો લાગે છે. આ વડોદરાના કારેલીબાગમાં એક નવદંપતીનો વરઘોડો છે. પરંતુ જે રીતે પુલવામાં આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થયા તેને લઈને દેશભરમાં આક્રોશ છે. લોકો શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. ત્યારે મહેશ અને દીપીકા નામના આ નવ દંપતીએ પણ પોતાના લગ્નમાં વીર જવાનોને અનોખી રીતે શ્રદ્ધાંજલી આપી.
મહેશ અને દીપિકાના લગ્ન તો ધૂમધામથી થયા પરંતુ લગ્નમાં માત્ર દેશ ભક્તિના જ ગીતો વગાડવામાં આવ્યા હતા. સાથે જ જાનૈયાઓએ મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપી. આ ઉપરાંત શહીદના પરિવારજનોને મદદ મળે તે માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી. લગ્ન પ્રસંગમાં પરિવારને જે પણ ચાંદલાની રકમ મળી હતી. તે શહીદોના પરિવારજનોને આપવામાં આવી છે. આવી તો દેશમાં અનેક દરિયાદિલીઓ સામે આવી છે. આજે લોકોએ સાચા દેશભક્તની ભૂમિકાન નિભાવી છે. દેશના એક સાચા નાગરીકની ભૂમિકા અદા કરી છે.