કોરોનાના વધતા સંક્રમણને લઈને દરેક રાજ્યોમાં ફરીથી લૉકડાઉન લાગૂ કરવામાં આવી રહ્યું છે. મંગળવારે બિહાર સરકારે અધિકારીઓની હાઈ લેવલ મીટિંગ બોલાવી છે અને તેમાં લૉકડાઉનને લઈને ચર્ચા કરાશે. સીએમ નીતિશ કુમાર બેઠકમાં હાજર રહેશે અને સ્થિતિની જાણકારી લીધા બાદ લૉકડાઉનને લઈને નિર્ણય લેશે. રાજ્ય સરકાર ગંભીરતાથી લૉકડાઉનના મુદ્દે વિચાર કરી રહી છે.
બિહારમાં શરૂ થઈ લૉકડાઉનની તૈયારીઓ
સીએમ નીતિશ કુમાર લેશે આજે નિર્ણય
લૉકડાઉન લાગૂ કરવા અંગે સરકાર ગંભીર
17 હજારને પાર પહોંચી કોરોના દર્દીની સંખ્યા
બિહારમાં કોરોના વાયરસની સ્થિતિ વણસી રહી છે. રાજ્યમાં કોરોનાના દર્દીની સંખ્યા 17421થી પણ વધી છે. રાજ્યમાં કોરોના વાયરસથી એક ડોક્ટરનું મોત થયું છે. આ સાથે સોમવારે 9 દર્દીના પટણામાં મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર બિહારમાં સોમવારે 1116 નવા સંક્રમિત કેસ આવ્યા છે.
આ જિલ્લામાં નવા કેસ
અરરિયામાં 1, અરવલમાં 20, ઔરંગાબાદમાં 3, બાંકામાં 3, બક્સરમાં 1, દરભંગામાં 3, બેગૂસરાયમાં 79, ભાગલપુરમાં 78, પૂર્વી ચંપારણમાં 11, ગયામાં 65, ગોપાલગંજમાં 22, જમુઈમાં 28, કિશનગંજમાં 8, લખીસરાયમાં 1, મઘેપુરામાં 7, મઘુબનીમાં 41, મુંગેરમાં 68, મુઝફ્ફરપુરમાં 76, નાલંદામાં 24, નવાદામાં 7, પટનામાં 229, પૂર્ણિયામાં 8, રોહતાસમાં 51, સબરસામાં 11, સારણમાં 8, શેખપુરમાં 5, શિવહરમાં 4, સીતામઢીમાં 6, પશ્ચિમ ચંપારણમાં 39 કેસ આવ્યા છે. 38 જિલ્લામાં 1116 નવા દર્દીઓ સામે આવ્યા છે.
અનેક હાઈ પ્રોફાઈલ લોકો પણ કોરોના સંક્રમિત
બિહાર સરકારમાં મંત્રી શૈલેશ કુમાર કોરોના પોઝિટિવ આવ્યા છે. વિધાનસભા ક્ષેત્રમાં ફરતી સમયે પાર્ટીના કાર્યકર્તાના સંપર્કમાં આવ્યા હતા અને અત્યારે ઘરે જ ક્વૉરન્ટાઈન છે. અધિકારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સચિવાલયમાં મુખ્યમંત્રી સુશીલ મોદીના કાર્યાલયમામં પણ મોટું સંક્રમણ નાણા મંત્રીના પ્રધાન સચિવ અને સચિવ સેલ સુધી પહોંચ્યું છે. અહીં અનેક કર્મચારીઓ પોઝિટિવ મળ્યા છે. હાલમાં સેલને સેનિટાઈઝ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.