ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. સીપી ઠાકુર પણ કોરોના સંક્રમિત થયા છે.કોરોના પોઝિટિવ આવ્યાની વાત તેઓએ ટ્વિટ કરીને પોતે જ આપી છે અને કહ્યું છે કે છેલ્લા કેટલાક સમયમાં મારા સંપર્કમાં જે લોકો આવ્યા છે તે પણ તેમના ટેસ્ટ કરાવી લે અને સાથે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે.
ડો. સીપી ઠાકુર પણ થયા કોરોના સંક્રમિત
ટ્વિટ કરીને પોતે જ આપી માહિતી
લક્ષણો દેખાતા કરાવ્યો હતો ટેસ્ટ
તેઓએ કહ્યું કે તેમને કોરોનાના લક્ષણો લાગતાં તેઓએ ટેસ્ટ કરાવ્યો અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
कोरोना संक्रमण के प्रारंभिक लक्षण आने के बाद मैंने #कोविड19 टेस्ट करवाया जिसमें आज मेरी रिपोर्ट पॉजिटिव आई है।
आप सभी से मेरा निवेदन है कि पिछले कुछ दिनों में जो भी मेरे सम्पर्क में आएं हैं, वो सभी निकटतम स्वास्थ्य केंद्र पर जाकर अपनी जाँच करवायें एवं कोविड नियमों का पालन करें।
મળતી માહિતી અનુસાર બિહાર સ્વાસ્થ્ય વિભાગના આંકડા કહે છે કે ગુરુવારે 8 વધુ દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 1209 થયો છે. અહીં મહામારીથી 2,29,474 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. સ્વસ્થ થયેલા દર્દીની સંખ્યા 222492 પહોંચી છે. બિહારમાં અત્યારે કુલ 5772 એક્ટિવ દર્દીઓ છે.