બિહારના નવા ડેપ્યૂટી સીએમને લઈને તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. ભાજપના 4 વખતના ધારાસભ્ય અને સીમાંચલના દિગ્ગજ નેતા તારાકિશોર પ્રસાદ બિહારમાં નવા ડેપ્યૂટી સીએમ બનશે. એક ન્યૂઝ ગ્રુપને ઈન્ટરવ્યૂમાં તારાકિશોર પ્રસાદે પોતે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે બિહારના ઉપ મુખ્યમંત્રીને લઈને તેમના નામ પર સહમતિ બની છે અને સોમવારે તેઓ ડેપ્યૂટી સીએમ તરીકે શપથ ગ્રહણ કરશે.
બિહારના ડેપ્યૂટી સીએમને લઈને પિક્ટર ક્લીયર થઈ ગયું
તેને લઈને છેલ્લા 48 કલાકથી કવાયત ચાલી રહી હતી
નીતિશ કુમારની સાથે અનેક મંત્રી પણ શપથ લઈ શકે છે
હકિકતમાં બિહારમાં ડેપ્યૂટી સીએમ કોન બનશે તેને લઈને છેલ્લા 48 કલાકથી કવાયત ચાલી રહી હતી. પરંતુ આ દરમિયાન જે સામે સૌથી આગળ ચાલી રહ્યું છે તે તારાકિશોર પ્રસાદનું છે. રવિવારે સુશીલ કુમાર મોદી દ્વારા કરવામાં આવેલી ટ્વીટ બાદ એ વાતની સ્પષ્ટતા થઈ ગઈ હતી કે તે ફરી બિહારના ડેપ્યૂટી સીએમ નહીં બને. તારાકિશોરના નિવેદન બાદ તે બિહારના ડેપ્યૂટી સીએમને લઈને પિક્ટર ક્લીયર થઈ ગયું છે.
निश्चित रूप से ऐसे संकेत हैं कि मैं और रेणु जी (भाजपा नेता रेणु देवी) बिहार उप मुख्यमंत्री के रूप में शपथ लेंगे: भाजपा नेता तारकिशोर प्रसाद pic.twitter.com/k9Ulot2jWC
ડેપ્યૂટી સીએમને લઈને એક તરફ અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો. ત્યારે આ વખતે બિહારમાં 2 ડેપ્યૂટી સીએમ બનશે. ત્યારે બીજા ડેપ્યૂટી સીએમ કોણ બનશે તેને લઈને કોઈ તસ્વીર સ્પષ્ટ થઈ નથી. બિહારમાં નીતિશ કુમારની આગેવાનીમાં એનડીએની સરકાર સોમવારે સાંજે 4.30 વાગે શપથ લેશે. નીતિશ કુમારની સાથે અનેક મંત્રી પણ શપથ લઈ શકે છે. જેમાં ભાજપ જેડીયૂ અને અમે આ ઉપરાંત મુકેશ સહનીની વીઆઈપી પાર્ટીના નેતા સામિલ છે.
પટનામાં આયોજિત થનારા શપથ ગ્રહણમાં ભાગ લેવા ખુલ અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ પટના આવી રહ્યા છે.