બિહારની રાજધાની પટનામાં ભાજપના નેતા રાજેશ કુમારની હત્યા કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર અપરાધીઓએ ઘટનાને એ સમયે અંજામ આપ્યો જ્યારે ભાજપના નેતા અને મંડળના ઉપાધ્યક્ષ રાજેશ કુમાર ઉર્ફે રાજા બાબૂ મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. બેઉર પોલીસ વિસ્તારના તેજ પ્રતાપ નગર વિસ્તારમાં સીતારામ ઉત્સવ હોલ પાસે બાઈક સવાર અપરાધીઓએ ગોળી મારીને હત્યા કરી હતી.
પટનામાં ભાજપના નેતાની હત્યા
રાજેશ કુમારની ગોળી મારીને કરાઈ હત્યા
મોનિંગ વોક પર નીકળ્યા ત્યારે બની ઘટના
ઘટનાને અંજામ આપનારા અપરાધી નકાબપોશમાં હતા. તેઓએ રાજાબાબુના કાનપટ્ટી પર પિસ્તોલ રાખી અને તેમને ગોળી મારી દીધી હતી. ગોળી વાગતાં જ તેઓ ઘાયલ થયા અને જમીન પર પડ્યા. ત્યાં જ તેમનું નિધન થયું. જાણકારી મળતાં જ બેઉર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી. જાણકારી મુજબ તેઓ પ્રોપર્ટી ડીલરનું કામ પણ કરતાં હતા.
હત્યાની આ ઘટનાને અપરાધીઓએ કયા કારણે અંજામ આપ્યો તેનું કારણ જાણી શકાયું નથી પરંતુ જમીન વિવાદ કારણ હોવાનું માની શકાય છે. આ કેસની વિસ્તત તપાસ હાથ ધરાશે.