જીતનરામ માંઝીએ આપેલા નિવેદન બાદ બિહારની કોર્ટ અને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તો બીજી તરફ BJPએ પોતાના નેતાને સસ્પેન્ડ કર્યા છે.
ભાજપ પ્રદેશ કાર્યકારિણીના સભ્ય ગજેન્દ્ર ઝા પાસે આ અંગે ખુલાસો માંગ્યો
હિન્દુસ્તાની આવામ મોરચાએ BJPના આપગલાને આવકર્યું
Bharatiya Janata Party suspends Gajendra Jha for announcing Rs 11 lakh reward for cutting off former Bihar CM Jitan Ram Majhi's tongue, asks him to give a clarification to the party high command in the next 15 days
બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી દ્વારા બ્રાહ્મણો પર કરવામાં આવેલી ટીપ્પણી બાદ બિહારનું રાજકારણ ઠંડુ થઈ રહ્યું નથી. માંઝીના નિવેદન પછી, બીજેપી નેતા ગજેન્દ્ર ઝાએ જાહેરાત કરી હતી કે તે પૂર્વ મુખ્યમંત્રીની જીભ કાપી નાખનાર વ્યક્તિને 11 લાખ રૂપિયાનું ઈનામ આપશે, પરંતુ તેમની આ જાહેરાત તેમના ભારે પડી છે. ઝાના આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ કાર્યવાહી કરી અને ગજેન્દ્ર ઝાને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી હાંકી કાઢ્યા અને ખુલાસો માંગ્યો.આ સંદર્ભે મધુબનીના બીજેપી જિલ્લા અધ્યક્ષ શંકર ઝાએ ગજેન્દ્ર ઝાને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો છે.
ગજેન્દ્ર ઝા પાસે 15 દિવસમાં આ અંગે ખુલાસો માંગ્યો
બીજેપીના પ્રદેશ કાર્યકારિણીના સભ્ય અને આંતરરાષ્ટ્રીય હિન્દુ મહાસભાના મહાસચિવ ગજેન્દ્ર ઝાને પદ પર દૂર કરવામાં આવ્યાં છે. આ સાથે મધુબની જિલ્લાઅધ્યક્ષ શંકર ઝાએ 15 દિવસોમાં આ અંગે ખુલાસો માંગ્યો છે. ભાજપના જિલ્લા પ્રમુખ શંકર ઝા દ્વારા જાહેર કરાયેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે, તમારા દ્વારા આપવામાં આવેલા અભદ્વ નિવેદનથી પાર્ટીને ઠેસ પહોંચી છે. તમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે છે જે તાત્કાલિક અસરથી અમલમાં આવશે .ઉલ્લેખનીય છે કે, માંઝીના નિવેદન બાદ ગજેન્દ્ર ઝાએ સોમવારે નિવેદન આપ્યું હતું કે જો કોઈ બ્રાહ્મણનો પુત્ર માંઝીની જીભ કાપીને લાવશે તો તે તેને ઈનામ તરીકે 11 લાખ રૂપિયા આપશે અને તેને જીવનભર ખવડાવશે. ગજેન્દ્ર ઝાએ કહ્યું હતું કે માંઝી વારંવાર આવા નિવેદનો આપે છે, જેને બ્રાહ્મણ સમાજ જરાય સહન નહીં કરે. માંઝીને હોદ્દાની ગરિમા નથી અને હિંદુ સનાતન ધર્મમાં વિશ્વાસ નથી.
હિન્દુસ્તાની આવામ મોરચાએ BJPના આપગલાને આવકર્યું
પાર્ટીના પ્રવક્તા ડેનિશ રિઝવાને કહ્યું કે અમે જીતનરામ માંઝી પર અભદ્ર ટિપ્પણી કરનાર ગજેન્દ્ર ઝા વિરુદ્ધ BJP નેતૃત્વ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીનું સ્વાગત કરીએ છીએ. જો એનડીએમાં રહીને કોઈપણ કાર્યકર અને કોઈપણ નેતા NDAના કોઈપણ વરિષ્ઠ નેતાને અપમાનિત કરે છે તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ તેમાં કોઈ શંકા નથી.જાણવા મળે છે કે વાલ્મીકીનગરમાં જીતનરામ માંઝીના નિવેદન બાદ બિહારનો બ્રાહ્મણ સમાજ ઘણો નારાજ છે અને સતત વિરોધ કરી રહ્યો છે.