હત્યા / જનતા દળ રાષ્ટ્રવાદી પાર્ટીના ઉમેદવાર નારાયણ સિંહની ગોળી મારી હત્યા, લોકોએ 1 હુમલાખોરને મારી નાખ્યો

patna bihar assembly election 2020 janta dal rashtravadi candidate shrinarayan singh killed in shivhar

બિહારમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન જ હવે મોટી ઘટના બની છે. શિવહરના હથસાર ગામમાં જનતા દળ રાષ્ટ્રવાદી પાર્ટીના ઉમેદવાર નારાયણ સિંહની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ દરમિયાન તેમના બે સર્થકોને પણ ગોળી મારવામાં આવી. ઘટનામાં નારાયણ સિંહ સહિત બે લોકોનાં મોત થયા છે. નારાયણ ચૂંટણીને ધ્યાને લઈ શિવહરના હથસાર ગામમાં પ્રચાર માટે ગયા હતા. આ દરમિયાન કેટલાક અપરાધીઓએ તેમની પર હુમલો કર્યો હતો. ઘાયલ નારાયણ સિંહને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમને શ્વાસ તોડી દીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ