કાપડમાં GSTમાં વધારાને લઈને સી.આર.પાટીલનું મોટું નિવેદન કહ્યું કે,કાપડ પર 12 ટકા જીએસટીના બદલામાં 5 ટકા હોવું જોઈએ.
કાપડમાં GSTમાં વાધારાને લઇ સી.આર.પાટીલનું નિવેદન
12 ટકાના બદલે 5 ટકા જ GST હોવું જોઈએઃ પાટીલ
અમે મક્કમ રજૂઆત કરી છેઃ પાટીલ
કાપડમાં GSTમાં વાધારાને લઇ સી.આર.પાટીલનું નિવેદન
સુરતના સરથાણા ખાતે ગુજરાત પ્રિ-વાયબ્રન્ટ સમિટમાં ગુજરાત ભાજપ પ્રદેશના પ્રમુખ સી.આર.પાટીલે એક મોટું નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું કે, સરકાર દ્વારા કાપડાના ઉદ્યોગ પર લાગેલા 12 જીએસટીના દરને બદલે 5 ટકા જીએસટીનો દર હોવો જોઈએ આ અંગે સરકાર સમક્ષ મક્કમતાથી રજૂઆત કરી છે.
પ્રિ-વાયબ્રન્ટ સમિટીમાં સી.આર.પાટીલે શું કહ્યું?
પ્રિ-વાયબ્રન્ટ સમિટીમાં સી.આર.પાટીલે નિવેદન આપતાં કહ્યું હતું કે, અમે કેન્દ્ર સરકાર સમક્ષ કાપડ પર જીએસટીના દર ઘટાડીને 5 ટકા જેટલા કરવા જોઈએ.આ અંગે અમે સાથે સરકાર સમક્ષ મળીને મક્કમતાથી રજૂઆત કરી છે. બીજી તરફ આ મામલે રાજ્યના મુખ્યમંત્રી આજે સરકારને પત્ર લખશે જેમાં કેન્દ્ર સરકારને જણાવાશે કે, સરકારે કાપડ પર 12 ટકા જીએસના બદલે 5 ટકા જીએસટી રાખવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, કેન્દ્ર સરકારના સહયોગથી ખૂબ ઝડપથી સુરત નજીક ટેક્સટાઈલ પાર્ક બનાવાશે મહત્વનું છે કે,સ્પર્ધામાં ટકી રહેવા રિસોર્સિસનો ઉપયોગ કરવો જોઈએ