કોરોનાથી સાજા થયેલા લોકોને છ અઠવાડિયા સુધી બ્લેક ફંગસનો ખતરો
ડાયાબિટીસ સાથે સ્ટેરોઈડનો ઉપયોગ બ્લેક ફંગસને આમંત્રણ આપી શકે છે
ફંગલ ઈન્ફેક્શન કોઈ નવી વાત નથી. પરંતુ તે કદી પણ મહામારીની હદે પહોંચી નથી.
ડોક્ટર પી.સરત ચંદ્રાએ જણાવ્યું કે ફંગલ ઈન્ફેક્શન કોઈ નવી વાત નથી. પરંતુ તે કદી પણ મહામારીની હદે પહોંચી નથી. આપણે તેના વાસ્તવિક કારણો જાણતા નથી. આપણને એ પણ ખબર નથી કે આ મહામારી શા માટે બની રહી છે. પરંતુ આપણી પાસે આવું માનવાના ઘણા કારણ છે.
સિલન્ડરમાંથી સીધો ઠંડો ઓક્સિજન લેવો દર્દીઓ માટે ઘણો ખતરનાક સાબિત થઈ શકે છે
તેમણે કહ્યું કે બ્લેક ફંગસ થવા પાછળના મુખ્ય કારણ અનિયંત્રિત ડાયાબિટીસ, સારવાર દરમિયાન ટોસિલિઝુમેબની સાથે સ્ટેરોઈડનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવો. વેન્ટિલેશન પર રહેનાર દર્દી અને સપ્લીમેન્ટ ઓક્સિજન લેવા તે છે. કોરોનાની સારવારના છ અઠવાડિયાની અંદર જો આમાના કોઈ કારણ હોય તો દર્દીને બ્લેક ફંગસ થવાનો સૌથી વધારે ખતરો રહેતો હોય છે. તેમણે એવી પણ ચેતવણી આપી કે સિલન્ડરમાંથી સીધો ઠંડો ઓક્સિજન લેવો દર્દીઓ માટે ઘણો ખતરનાક સાબિત થઈ શકે છે.
Fungal infections are not new. But It has never happened in epidemic proportions. We don’t know the exact reason why it is reaching to epidemic proportions. But we've reason to believe that there could be multiple reasons: Professor of Neurosurgery at AIIMS Dr P Sarat Chandra pic.twitter.com/tLHSKbgvBH
2-3 અઠવાડિયા માટે માસ્કનો ઉપયોગ કરવો પણ બ્લેક ફંગસને આમંત્રણ આપવા જેવું
ડો.ચંદ્રાએ જણાવ્યં કે 2-3 અઠવાડિયા માટે માસ્કનો ઉપયોગ કરવો પણ બ્લેક ફંગસને આમંત્રણ આપવા જેવું છે. આ પ્રકારની ઘટનાઓ ઓછી કરવા માટે વધારે જોખમ વાળા લોકોને એન્ટી ફંગલ દવા પોસકોનાઝોલ આપી શકાય છે.
દેશમાં કોરોના સંક્રમણ પછી મ્યુકરમાયકોસિસ ચિંતાનું મુખ્ય કારણ
દેશમાં કોરોના સંક્રમણ પછી મ્યુકરમાયકોસિસ એટલે કે બ્લેક ફંગસ હવે ચિંતાનું મુખ્ય કારણ છે. દેશમાં અત્યાર સુધીમાં 7,250 લોકો હાલ મ્યુકરમાયકોસિસથી પીડાઈ રહ્યા છે. 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના અધિકારીઓ દ્વારા આ આંકડા આપવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં મ્યુકરમાયકોસિસની બીમારીથી ઓછામાં ઓછા 219 લોકો મૃત્યુ પામ્યા છે. ગુજરાત માટે ચિંતાની વાત કહી શકાય કે દેશમાં બ્લેક ફંગસના કેસ મામે ગુજરાત મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમ પર છે. મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસના કારણે સૌથી વધારે મોત થયા છે. ગુજરાતમાં કુલ 1163 કેસ તથા 63 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે રાજસ્થાન 700 તો મધ્યપ્રદેશમાં 575 કેસ સામે આવ્યા છે.