વધુ પડતા તીખા તમતમતા અને તળેલા કે મસાલાવાળા ખોરાક લેવાથી પેટમાં ગેસ અને એસિડિટીની સમસ્યા થાય છે.
એસિડિટીની સમસ્યા હોય તો અપનાવો આ ઉપાયો
દરરોજ ખાવ આ 5 ફૂડ્સ
એસિડિટીથી મળશે છુટકારો
એસિડિટીની સમસ્યા આમ તો સાધારણ માનવામાં આવે છે, પરંતુ તેના કારણે કેટલીક પરેશાનીઓનો સામનો પણ કરવો પડે છે. ઘણા લોકોને એસિડિટીના કારણે પેટ ફુલવાની સમસ્યા થઇ જાય છે. તો ઘણા લોકો એસિડિટીની સાથે ગેસ્ટ્રિકની સમસ્યાથી પણ પીડાતા હોય છે. તેનું સૌથી મોટું કારણ છે આપણી ખાણીપીણી. વધુ પડતા તીખા તમતમતા અને તળેલા કે મસાલાવાળા ખોરાક લેવાથી પેટમાં ગેસ અને એસિડિટીની સમસ્યા થાય છે. જો તમને પણ આવી સમસ્યા છે તો તેમાંથી બહાર આવવા માટે તમારા આહારમાં પરીવર્તન લાવો અને સંતુલન જાળવી રાખો.
કેળાંને કરો ડાયટમાં સામેલ
કેળાંમાં કેલ્શિયમ અને આયર્ન પ્રચૂર માત્રામાં રહેલું હોય છે. તે એન્ટી-ઓક્સિડેન્ટ અને પોટેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોવાથી એસિડ રિફ્લેક્સ ઓછું કરે છે અને પેટમાં ગેસ થવા દેતા નથી. કેળાં ખાવાથી પીએચનું સ્તર નીચે જાય છે. કેળાંમાં રહેલ ફાઇબર તમને એસિડિટીથી બચાવશે.
એસિડિટીથી બચવા ખાવ તરબૂચ
તરબૂચમાં પાણીનો ભાગ વધુ હોવાથી શરીરમાં પાણીની કમી પૂરી થાય છે. એટલું જ નહીં તેનાં સેવનથી પેટ ભર્યું ભર્યું રહે છે જેથી ગેસની સમસ્યા થતી નથી. તરબૂચમાં રહેલું ફાઇબર ખોરાક પચાવવામાં મદદ કરે છે. ખાધેલો ખોરાક સરખી રીતે પચી જાય તો પણ ગેસની સમસ્યા રહેતી નથી. એસિડિટીથી પરેશાન લોકો માટે તરબૂચ ખાવું ફાયદાકારક છે.
કાકડી રાખશે એસિડિટીને દૂર
કાકડી ખાવાથી પેટમાં ઠંડક મળે છે. કાકડીમાં પણ પ્રચૂર માત્રામાં પાણીનો ભાગ રહેલો હોવાથી તે શરીરને ડિહાઇડ્રેશનથી દૂર રાખશે. તેનાં સેવનથી એસિડ રિફ્લેક્સન ઓછું થાય છે અને એસિડિટી અને ગેસની સમસ્યાઓ પણ દૂર રહે છે.
નાળિયેર પાણીને કરો ડાયટમાં સામેલ
ઘણા લોકોને સવારમાં ચા-કોફી પીવાની આદત હોય છે અને તેના કારણે શરીર એસિડિક બને છે. આવા લોકોએ સવારમાં ચા-કોફીની જગ્યાએ નાળિયેર પાણી પીવું વધુ ફાયદાકારક સાબિત થાય છે. નાળિયેર પાણી શરીરને ડિટોક્સિફાઇ કરે છે. તેમાં રહેલાં ફાઇબર અને એન્ટી-ઓિક્સડેન્ટ શરીરનાં પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત જે લોકોને એસિડિટીની સમસ્યા છે તેઓએ નાળિયેર પાણીનું સેવન અવશ્ય કરવું જોઇએ
પીવો એક ગ્લાસ ઠંડું દૂધ
દૂધ પીવાથી હાડકાં તો મજબૂત બને જ છે, સાથે જ પેટની અનેક બીમારીઓ પણ દૂર રહે છે. સવાર-સવારમાં એક ગ્લાસ ઠંડું દૂધ પીવાથી પેટમાં થતી બળતરા દૂર થાય છે. એટલું જ નહીં તેનાથી તમારી ભૂખ પણ કંન્ટ્રોલમાં રહે છે. આ સિવાય એસિડિટી અને ગેસની સમસ્યા પણ દૂર થાય છે.