આણંદના ઉમરેઠની ખાનગી હોસ્પિટલમાં એક દર્દીનું મોત થતાં પરિવારજનોએ ભારે હોબાળો કર્યો હતો. વિગતો મુજબ એક દર્દીને હાથની કોણીનું ઓપરેશન કરવાનું હતું. જેથી તેમણે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા બાદ ત્રણ કલાક સુધી દર્દીને બહાર નહી લાવતા પરિવારજનોને શંકા ગઈ હતી. જે બાદ માં દર્દીનો મોત થયાનું સામે આવતા પરિવારજનોએ હોબાળો કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આણંદમાં ઉમરેઠની નિવાન હોસ્પિટલમાં હોબાળાની ઘટના સામે આવી છે. પંથકના એક 50 વર્ષીય દર્દીને હાથની કોણીના ઓપરેશન માટે નિવાન હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં રાત્રે 08 વાગ્યે હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીને ઓપરેશન થિયેટરમાં લઈ જવાય હતા. જે બાદમાં છેક રાત્રે 11 વાગ્યા સુધી દર્દીને બહાર નહી લાવતા પરિજનોને શંકા ઊભી થઈ હતી. જેથી તપાસ કરતાં દર્દીનું મોત થયાનું ખૂલતાં પરિવારજનો ઘેર શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
હોસ્પિટલની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ
50 વર્ષીય દર્દીને હાથની કોણીના ઓપરેશન માટે નિવાન હોસ્પિટલમાં લવાયા બાદ મોત થતાં પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જે બાદમાં પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીથી દર્દીનું મોત થયાનો આક્ષેપ કર્યો છે.
હોસ્પિટલની બેદરકારી સામે પોલીસ ફરિયાદ
આણંદના ઉમરેઠની નિવાન હોસ્પિટલમાં દર્દીના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જેને લઈ ઉમરેઠ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ મૃતક પરિવારજનો દ્વારા પેનલ પીએમ કરાવવાની માગ કરવામાં આવી છે. આ તરફ હવે મૃતદેહને પેનલ પીએમ માટે કરમસદ હોસ્પિટલ ખસેડાયો છે.