અમદાવાદની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે દર્દી અને ફાયર વિભાગની ઓડિયો ક્લિપ આવી સામે છે. ઘટનાની રાત્રે શ્રેય હોસ્પિટલના દર્દીએ ફાયર વિભાગને કોલ કર્યો હતો. ફાયરના કંટ્રોલરૂમ ઇન્ચાર્જની બેદરકારી આવી સામે છે.
દર્દી અને ફાયર વિભાગનો ઓડિયોક્લિપ આવી સામે
ફાયરના કંટ્રોલરૂમ ઇન્ચાર્જની બેદરકારી આવી સામે
દર્દી પાસેથી શાંતિથી માહિતી લેવામાં જ બગાડ્યો સમય
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં એવી દુઃખદ ઘટના બની હતી. કોરોનાની સારવાર માટે આવેલા 8 દર્દીઓના હોસ્પિટલમાં આગ લાગવાના કારણે મોત નિપજ્યા છે.
હોસ્પિટલમાં આગની ઘટના બની ત્યારે દર્દીએ તાત્કાલિક ફાયર વિભાગને ફોન કર્યો હતો. જેમાં દર્દીને શાંતિથી માહિતી આપવામાં જ તંત્રએ સમય બગાડ્યો હોવાનું ઓડિયો ક્લિપમાં સામે આવ્યું છે. ઓડિયો ક્લિપમા દર્દીઓ બચાવો બચાવોની બુમો પાડતા સંભળાય છે. તો 2 મિનિટની વાતચીત બાદ ફાયર કોલ લેવામાં આવ્યો હતો.
Ahmedabad ની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે દર્દી અને ફાયર વિભાગની ઓડિયો ક્લિપ આવી સામે છે. ઘટનાની રાત્રે શ્રેય હોસ્પિટલના દર્દીએ ફાયર વિભાગને કોલ કર્યો હતો. ફાયરના કંટ્રોલરૂમ ઇન્ચાર્જની બેદરકારી આવી સામે છે. જેમાં દર્દીને શાંતિથી માહિતી આપવામાં જ સમય બગાડ્યો છે.#shreyhospitalpic.twitter.com/9OgnuNcDC2
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 6, 2020
પોલીસે 2 તબિબો અને દર્દીઓના નિવેદન
તો બીજી તરફ અમદાવાદના શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસે 2 તબિબો અને દર્દીઓના નિવેદન લીધા છે. સાથે ટ્રસ્ટી ભરત મહંતની પણ પોલીસે પૂછપરછ કરી છે. FSL અને ફાયરના સેમ્પલ રિપોર્ટ બાદ કાર્યવાહી થશે.