આગામી 21 મી એપ્રિલે અમદાવાદ ખાતે પાટીદારોનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેમા ગાંધીનગર લોકસભા બેઠક મુદ્દે પાટીદારો મંથન કરશે. કારણ કે, ઘણા લાંબા સમયથી આ વિસ્તારના પાટીદાર મતદારો અમિત શાહથી નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે.
ગાંધીનગર: આગામી 21 મી એપ્રિલે અમદાવાદ ખાતે પાટીદારોનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેમા ગાંધીનગર લોકસભા બેઠક મુદ્દે પાટીદારો મંથન કરશે. કારણ કે, ઘણા લાંબા સમયથી આ વિસ્તારના પાટીદાર મતદારો અમિત શાહથી નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે.
તે સંજોગોમાં 23 એપ્રિલના મતદાન પૂર્વે 21 એપ્રિલના રોજ અમદાવાદના ઉમિયા કેમ્પસમાં લવ-કુશ પાટીદાર સંમેલન યોજાવામાં આવી રહ્યું છે. આ સંમેલનનું મુખ્ય ઉદ્દેશ લોકસભા ચૂંટણીમાં પાટીદાર મતદારોના મતદાન અંગેની ચોક્કસ રણનીતિ ઘડવામાં આવશે. આ સંમેલનમાં ગાંધીનગર લોકસભામાં રહેતા પાટીદાર મતદારોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર બેઠકમાં 2.50 લાખથી વધુ પાટીદાર મતદારો છે. જો કે, ઘણા લાંબા સમયથી આ વિસ્તારના પાટીદાર મતદારો ભાજપના દિગ્ગજ નેતા અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહથી નારાજ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ત્યારે આગામી 21 તારીખના રોજ પાટીદારો રાજ્યના પાટનગર ખાતે શક્તિ પ્રદર્શન કરવાના છે.