પાટીદારોની આસ્થા કેન્દ્ર સમાન મહેસાણાના ઉમિયા ધામને કોરોનાની સારવાર માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે, સરકારને આ કેમ્પસના ઉપયોગ માટે ભલામણ કરાઈ છે
ઉમિયા કેમ્પસ કોરોના ની સારવાર માટે ખુલ્લુ મુકાયું
ગુજરાત સરકારને કેમ્પસનો ઉપયોગ કરવા ભલામણ
માં ઉમિયાજી યાત્રાધામ પણ કોરોના માટે અર્પણ
અમદાવાદ સ્થિતિ ઉમિયા કેમ્પસ કોરોનાની સારવાર માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ગુજરાત સરકારને આ કેમ્પસનો ઉપયોગ કરવા ભલામણ કરવામાં આવી છે. માં ઉમિયાજી યાત્રાધામ પણ કોરોના માટે અર્પણ કરવામાં આવ્યું છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને સંમતિપત્ર મોકલવામાં આવ્યો છે.
તો આ તરફ કોરોનાના કારણે મહેસાણાના ઊંઝામાં આવતીકાલથી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી દેવાયું છે. વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે. દૂધની દુકાન અને મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. કોરોનાની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી દુકાનો બંધ રહેશે.
તો બીજી તરફ મહેસાણામાં સાંઇ ક્રિષ્ના હોસ્પિટલમાં કોવિડ સારવાર શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. DyCM નીતિન પટેલે આ અંગેનો આદેશ કર્યો છે. 24 કલાકમાં હોસ્પિટલ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. કોવિડ હોસ્પિટલ ન હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે. વેન્ટિલેટર અને ઓક્સિજન સાથેની હોસ્પિટલ કાર્યરત કરવા આદેશ થયા છે.