સુરતમાં આજે ભાજરના નવા નિયક્ત થયેલા પ્રદેશ પ્રમુખના સ્વાગત માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, પાટીલને લઇને પાટીદાર સમાજના નામથી લાગેલા બેનર્સને લઇને ચકચાર મચી છે ત્યારે હવે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સુરતનો લેટરપેડ વાયરલ થયો હતો. જેમાં આ મામલે ખુલાસો થયો છે.
પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે સી.આર.પાટીલના સમર્થનમાં લેઉવા-કડવા પાટીદારના નામે બેનર્સ લાગ્યા હતા તે અંગે ખુલાસો થયો હતો કે, રાજકીય બાબતોમાં સમાજની એકતા ન તૂટે એ જરૂરી છે.
રેલીના સમર્થનથી સમાજમાં ખોટો મેસેજ જશે
તો વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, સુરત મહામારી સામે લડી રહ્યું છે ત્યારે રેલીના સમર્થનથી ખોટો મેસેજ જશે. આ સાથે જ વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, શહેરમાં જાહેરમાં લાગેલા બેનર્સ વ્યક્તિગત, સમાજ સમર્થન કરતો નથી.
કોરોનાના સંક્રમણને લઇને રેલી કરાઇ રદ્દ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની રેલી રદ કરી દેવામાં આવી. ભીડ વધુ થવાની શક્યતાને લઇ રેલી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત નવસારીની રેલી પણ રદ કરી દેવાઇ છે. સુરત એરપોર્ટ પર બેઠક બાદ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં કાર્યકર્તાઓને મળવાનો કાર્યક્રમ પણ રદ કરી દેવાયો છે. આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે જવાબદારી બાદ પ્રથમવાર સુરત આવ્યો. અને મારા સ્વાગત માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પરંતુ વધુ ભીડ થવાની શક્યતાના કારણે રેલી રદ કરી દેવાઇ છે. નાનુ પણ જોખમ હોય તો હું લેવા નથી માગતો. અને મારે આવા શક્તિ પ્રદર્શનની જરૂર નથી.